શોધખોળ કરો

WTC Points Table: ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

WTC Points Table: ભારત સામેની પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે. જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ.

WTC 2025 Points Table Updated: બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું. ન્યુઝીલેન્ડે 36 વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે. આ જીત સાથે કીવી ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે. ભારતને પણ નુકસાન થયું છે.

ભારત સામેની જીત બાદ ન્યૂઝીલેન્ડની ટીમ 44.44 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર આવી ગઈ છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 43.06 PCT સાથે પાંચમા સ્થાને છે. ભારતને ભલે પોઈન્ટમાં નુકસાન થયું હોય, પરંતુ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં હજુ પણ નંબર વન પર છે. ભારતના હવે 68.06 પોઈન્ટ છે. બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાના 62.50 પોઈન્ટ છે.

બેંગ્લોર ટેસ્ટના લેખાજોખા

બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યું છે. મેચના પાંચમા દિવસે કિવી ટીમને જીતવા માટે 107 રન બનાવવાના હતા જે મુલાકાતી ટીમે 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા હતા. અંતિમ દિવસે રચિન રવિન્દ્ર અને વિલ યંગ વચ્ચે 72 રનની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાની હાર સુનિશ્ચિત કરી હતી. મેચના પાંચમા દિવસે ભારત માટે વિકેટ લેનારો એકમાત્ર બોલર જસપ્રિત બુમરાહ હતો જેણે 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

બેંગલોર ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, જ્યારે બીજા દિવસે જ્યારે ટોસ થયો ત્યારે ભારતે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ લેવાનું પરિણામ એ આવ્યું કે સમગ્ર ટીમ ઈન્ડિયા માત્ર 46 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ન્યૂઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવમાં 356 રનની જંગી લીડ મેળવી હતી. કિવી ટીમ માટે રચિન રવિન્દ્રએ 134 રનની સદીની ઇનિંગ રમી હતી અને ટિમ સાઉદીએ પણ 65 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

કેપ્ટન રોહિત શર્માએ પોતે કહ્યું હતું કે પ્રથમ દાવમાં બેટિંગ કરવાનું પસંદ કરવું તેની કારકિર્દીનો સૌથી ખરાબ નિર્ણય હતો. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં બેટિંગ કરવા આવી તો તેણે ન્યૂઝીલેન્ડના બોલરોને ખૂબ જ પરેશાન કરી દીધા. બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ 35 રન બનાવીને આઉટ થયો હોવા છતાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અનુક્રમે 52 અને 70 રનની અડધી સદી રમી હતી. તે પછી સરફરાઝ ખાન અને ઋષભ પંતે કમાન સંભાળી, જેમની વચ્ચે 177 રનની શાનદાર ભાગીદારી થઈ. સરફરાઝે 150 રન બનાવ્યા, જ્યારે ઋષભ પંતની ઇનિંગ્સ 99ના સ્કોર પર સમાપ્ત થઈ. આ બંનેના આઉટ થયા બાદ ચોથા દિવસે ભારતીય બેટિંગ પડી ભાંગી હતી અને 462ના સ્કોર પર ઈનિંગ્સનો અંત આવ્યો હતો.

ન્યુઝીલેન્ડ 36 વર્ષ પછી જીત્યું
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ ભારતીય ધરતી પર માત્ર 2 ટેસ્ટ મેચ જીતી શક્યું છે. તેમની પ્રથમ જીત 1969માં અને બીજી જીત 1988માં થઈ હતી. હવે 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે બેંગલુરુ ટેસ્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડની જીતમાં મેટ હેનરીએ મોટો ફાળો આપ્યો હતો, જેણે 2 ઇનિંગ્સમાં કુલ 8 વિકેટ ઝડપી હતી, જ્યારે વિલિયમ ઓ'રોર્કે પણ 7 વિકેટ ઝડપી હતી. તેના સિવાય બેટિંગમાં રચિન રવિન્દ્રએ બંને ઇનિંગ્સમાં કુલ 173 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો...

Women T20 World Cup: આજે રચાશે ઇતિહાસ દુનિયાને મળશે નવું વિશ્વ વિજેતા, આ 2 ટીમોમાં ખિતાબી ટક્કર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget