શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા સામે બીજી વન ડેમાં જીત્યા પછી વિરાટે ક્યા બે ભારતીય બેટ્સમેનને કરી સલામ ? જાણો વિગત
1/3

એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની શ્રેણી પૈકીની મંગળવારે એડિલેડમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયો 6 વિકેટથી વિજય થયો હતો. આ સાથે જ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 299 રનનો ટાર્ગેટ ભારતે 49.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. 1999 બાદ પ્રથમ વખત કોઈ ટીમ આ મેદાન પર આટલો મોટો સ્કોસ ચેઝ કરી શકી હતી. મેચમાં કોહલીએ 104 રનની ઈનિંગ રમી હતી તો મહેન્દ્ર સિંહ ધોની 55 રને અણનમ રહ્યો હતો. મેચ પછી વિરાટ કોહલીએ ધોની ભરપેટ વખાણ કર્યા હતા. ઉપરાંત દિનેશ કાર્તિકની ઝડપી ઈનિંગની પણ પ્રશંસા કરી હતી.
2/3

કોહલીએ કહ્યું હતું કે ધોનીને પોતાની ક્ષમતા પર વિશ્વાસ છે કે તે મોટા શોટ્સ રમીને મેચને ખતમ કરી શકે છે. કોહલીએ 14 બોલમાં 25 રનની ઇનિંગ્સ રમનાર દિનેશ કાર્તિકની પણ પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું હતું કે કાર્તિકે ઝડપી રમીને ધોની ઉપર દબાણ ઓછું કર્યું હતું. ભારતને અંતિમ ઓવરમાં 7 રનની જરૂર હતી ત્યારે ધોનીએ પ્રથમ બોલે સિક્સર ફટકારી ભારતની જીત નિશ્ચિત કરી દીધી હતી.
Published at : 16 Jan 2019 11:00 AM (IST)
View More




















