શોધખોળ કરો

IPL 2022: 8 મેચમાં 6 મેચ હાર્યું CSK, છતાં પણ આ રીતે પ્લેઑફમાં પહોંચી શકે છે ચેન્નાઈ સુપર કિંગ્સ

IPL 2022 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. સોમવારે પંજાબ કિંગ્સ (PBKG) સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2022 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. સોમવારે પંજાબ કિંગ્સ (PBKG) સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવીન્દ્ર જાડેજાની આગેવાનીમાં ચેન્નાઈની ટીમે અત્યાર સુધીમાં 8 મેચો રમી છે. જેમાંથી ફક્ત 2 મેચો જ જીતી છે અને 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ ચેન્નાઈ 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા નંબર પર છે.

CSKને જીતવી પડશે 6 મેચઃ
8 મેચમાંથી 6 મેચ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઑફમાં પહોંચવાની આશાઓ ઓછી દેખાઈ રહી છે. પરંતુ CSKના ચાહકોના મનમાં હજી પણ એક સવાલ છે કે શું તેમની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઑફમાં જગ્યા બનાવી શકશે કે નહી? હકીકતમાં ચેન્નાઈએ પોતાની પ્લેઑફમાં પહોંચવાની આશાઓ જીવંત રાખવા માટે બાકી બચેલી 6 મેચો જીતવી પડશે. સાથે જ બીજી ટીમોના પ્રદર્શન ઉપર પણ નિર્ભર રહેવું પડશે.

રન રેટ પણ સુધારવી પડશેઃ
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ટીમની રન રેટ પણ ચિંતાનો વિષય બનેલી છે. હાલ CSK ની નેટ રન રેટ -0534 છે. જાડેજાની ટીમને પોતાના આગામી તમામ મુકાબલામાં જીત મેળવવાની સાથે-સાથે રન રેટ પણ સુધારવી પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સની હવે પછીની મેચ 1 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાવાની છે. આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે.

રાયડુની તોફાની ઇનિંગ્સ છતાં CSK હાર્યુંઃ
આ પહેલાં સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને પંજાબ કિંગ્સ (PBKG) સામેની મેચમાં 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સ (PBKG)એ શિખર ધવનના અણનમ 88 રનના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે જીતવા માટે 20 ઓવરમાં 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ચેન્નાઈની ટીમ અંબાતી રાયડુની 39 બોલમાં 78 રનની ઇનિંગ હોવા છતાં 11 રનથી હારી ગઈ હતી. રાયડુ સિવાય ઓપનર ઋતુરાજ ગાયકવાડે 30 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget