શોધખોળ કરો

IPL 2022: 8 મેચમાં 6 મેચ હાર્યું CSK, છતાં પણ આ રીતે પ્લેઑફમાં પહોંચી શકે છે ચેન્નાઈ સુપર કિંગ્સ

IPL 2022 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. સોમવારે પંજાબ કિંગ્સ (PBKG) સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2022 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. સોમવારે પંજાબ કિંગ્સ (PBKG) સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવીન્દ્ર જાડેજાની આગેવાનીમાં ચેન્નાઈની ટીમે અત્યાર સુધીમાં 8 મેચો રમી છે. જેમાંથી ફક્ત 2 મેચો જ જીતી છે અને 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ ચેન્નાઈ 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા નંબર પર છે.

CSKને જીતવી પડશે 6 મેચઃ
8 મેચમાંથી 6 મેચ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઑફમાં પહોંચવાની આશાઓ ઓછી દેખાઈ રહી છે. પરંતુ CSKના ચાહકોના મનમાં હજી પણ એક સવાલ છે કે શું તેમની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઑફમાં જગ્યા બનાવી શકશે કે નહી? હકીકતમાં ચેન્નાઈએ પોતાની પ્લેઑફમાં પહોંચવાની આશાઓ જીવંત રાખવા માટે બાકી બચેલી 6 મેચો જીતવી પડશે. સાથે જ બીજી ટીમોના પ્રદર્શન ઉપર પણ નિર્ભર રહેવું પડશે.

રન રેટ પણ સુધારવી પડશેઃ
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ટીમની રન રેટ પણ ચિંતાનો વિષય બનેલી છે. હાલ CSK ની નેટ રન રેટ -0534 છે. જાડેજાની ટીમને પોતાના આગામી તમામ મુકાબલામાં જીત મેળવવાની સાથે-સાથે રન રેટ પણ સુધારવી પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સની હવે પછીની મેચ 1 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાવાની છે. આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે.

રાયડુની તોફાની ઇનિંગ્સ છતાં CSK હાર્યુંઃ
આ પહેલાં સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને પંજાબ કિંગ્સ (PBKG) સામેની મેચમાં 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સ (PBKG)એ શિખર ધવનના અણનમ 88 રનના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે જીતવા માટે 20 ઓવરમાં 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ચેન્નાઈની ટીમ અંબાતી રાયડુની 39 બોલમાં 78 રનની ઇનિંગ હોવા છતાં 11 રનથી હારી ગઈ હતી. રાયડુ સિવાય ઓપનર ઋતુરાજ ગાયકવાડે 30 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Embed widget