શોધખોળ કરો
Advertisement
ગુજરાતી ક્રિકેટરનો ધડાકો, કહ્યું- મારા સહિત આશરે 100 ક્રિકેટરોને જમ્મુ-કાશ્મીર છોડવાનું કહેવામાં આવ્યું, જાણો વિગત
જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ટીમના મેન્ટર અને કોચ ઈરફાન પઠાણે કહ્યું કે, મારી સહિત 100 અન્ય ક્રિકેટરોને શક્ય તેટલા વહેલા ટીમ કેમ્પ છોડવાનું કહેવામાં આવ્યું છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ટીમના મેન્ટર અને કોચ ઈરફાન પઠાણે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, મારી સહિત 100 અન્ય ક્રિકેટરોને શક્ય તેટલા વહેલા ટીમ કેમ્પ છોડવાનું કહેવામાં આવ્યું છે. આતંકી ઘટનાની આશંકાના કારણે જમ્મુ-કાશ્મીર તંત્ર દ્વારા પ્રવાસીઓ તથા અમરનાથ યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓને જલદીથી ઘાટી છોડી દેવાનું કહેવાયું છે.
ઈરફાન પઠાણે કહ્યું, અમારા કેમ્પને બંધ કરી દેવામાં આવ્યા છે અને ક્રિકેટરોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. કેમ્પ 14 જૂનથી શરૂ થયો હતો અને 14 જુલાઈ સુધી ચાલ્યો હતો. 10 દિવસના બ્રેક બાદ ફરી 25 જુલાઈથી કેમ્પ શરૂ થયો અને શનિવારે આશરે 100 ક્રિકેટરોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા. મેચ 17 ઓગસ્ટ સુધી રમાવાની હતી. જિલ્લાના ક્રિકેટરો માટે સિલેક્શન મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું.
34 વર્ષીય પઠાણને ગત વર્ષે જુલાઈમાં જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ટીમનો મેન્ટર-કૉચ નિમવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, સપોર્ટ સ્ટાફને પણ રાજ્ય ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.
કેનેડા T20 લીગમાં યુવરાજ સિંહે રમી તોફાની ઈનિંગ, છતાં પણ ટીમને ન જીતાડી શક્યો
આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ, ટીમ ઈન્ડિયા માટે આ છે મુશ્કેલી
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion