![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
WHO chief on Covid19: ઓલિમ્પિકના અંત સુધીમાં વિશ્વના કેટલા લોકોના થશે મોત ? આંકડો જાણીને ચોંકી જશો
WHOના ચીફે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ઓલિમ્પિકના અંત સુધીમાં વિશ્વભરમાં એક લાખ લોકોના મોત થશે.
![WHO chief on Covid19: ઓલિમ્પિકના અંત સુધીમાં વિશ્વના કેટલા લોકોના થશે મોત ? આંકડો જાણીને ચોંકી જશો 100,000 will die of coronavirus globally between now and end of the Olympics, WHO chief predicts WHO chief on Covid19: ઓલિમ્પિકના અંત સુધીમાં વિશ્વના કેટલા લોકોના થશે મોત ? આંકડો જાણીને ચોંકી જશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/04/95fa490eff7d1c1c68f8032d67b62fed_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઓલિમ્પિક શરૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આ દરમિયાન WHOના ચીફે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ઓલિમ્પિકના અંત સુધીમાં વિશ્વભરમાં એક લાખ લોકોના મોત થશે.
કેરળમાં વધી રહેલા કોરોનાના કેસને જોતાં ફરી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ લોકડાઉન માત્ર શનિવાર 24 જુલાઈ અને રવિવાર 25 જુલાઈ પૂરતું જ રહેશે. કેરળ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ 24 અને 25 જુલાઈના રોજ 12 અને 13 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલા નિર્દેશો સાથે પૂર્ણ લોકડાઉન રહેશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કહ્યું કે, રાજ્યમાં લગાવવામાં આવેલા કોવિડ-19 પ્રતિબંધો એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ કેરળમાં 1,26,894 એક્ટિવ કેસ છે. જ્યારે 30,45,310 લોકો કોરનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 15,512 કોરોના દર્દીના મોત થયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
મંગળવારે દેશમાં 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા હતા. પંરતુ બુધવારે ફરીથી એક વખત 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવા 42,015 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 3998 લોકોના મોત થયા છે. જ્યારે વિતેલા 24 કલાકમાં 36977 લોકો કોરોનાથી ઠીક થાય છે એટલે કે એક્ટિવ કેસ 1040 વધ્યા છે.
કોરોનાના કુલ કેસ
- કુલ કેસ: 3,12,16,337
- એક્ટિવ કેસ: 4,07,170
- કુલ રિકવર: 3,03,90,687
- કુલ મોત: 4,18,480
- કુલ રસીકરણ: 41,54,72,455
- સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 20 જુલાઈ સુધીમાં દેશભરમાં 40 કરોડ 54 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 34 લાખ 25 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 91 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 18.52 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)