શોધખોળ કરો

Ashwini Ponnappa Retirement: ભારતીય બેડમિન્ટન સ્ટાર અશ્વિની પોનપ્પાએ લીધી નિવૃતિ, કહ્યું- 'આ મારો અંતિમ ઓલિમ્પિક'

Ashwini Ponnappa Retirement: મંગળવારે તેને અને તનિષા ક્રાસ્ટોને પેરિસ ઓલિમ્પિકની મહિલા ડબલ્સ ઇવેન્ટમાં સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો

Ashwini Ponnappa Retirement: ભારતીય બેડમિન્ટન ખેલાડી અશ્વિની પોનપ્પાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે આ તેનો છેલ્લો ઓલિમ્પિક હતો. મંગળવારે તેણી અને તેની જોડીદાર તનિષા ક્રાસ્ટોને પેરિસ ઓલિમ્પિકની મહિલા ડબલ્સ ઇવેન્ટમાં સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. અશ્વિની અને તનિષાની જોડી ગ્રુપ સીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાની સેતિયાના માપાસા અને એન્જેલા યૂ સામે 15-21, 10-21થી હારી ગયા હતા. તેમની ત્રણેય ગ્રુપ મેચો હાર્યા બાદ તેમનું અભિયાન સમાપ્ત થયું હતું.

અશ્વિનીએ 2001માં તેનું પ્રથમ નેશનલ ટાઇટલ જીત્યું અને જ્વાલા ગુટ્ટા સાથે મળીને એક શાનદાર અને ઇતિહાસ રચનારી મહિલા જોડી બનાવી હતી.  જ્વાલા ગુટ્ટા 2017 સુધી રમી હતી. તેણીએ 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને ઉબેર કપ (2014 અને 2016) અને એશિયન ચેમ્પિયનશીપ (2014)માં બ્રોન્ઝ મેડલ સહિત અનેક આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા હતા.

જ્યારે ત્રીજો ઓલિમ્પિક રમી રહેલી 34 વર્ષીય અશ્વિનીને પૂછવામાં આવ્યું કે શું તે 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં રમવા માંગે છે, તો તેણે કહ્યું, "આ મારો છેલ્લો ઓલિમ્પિક હતો, પરંતુ તનિષાએ હજુ લાંબી મજલ કાપવાની છે. તે ભાવનાત્મક અને માનસિક રીતે ખૂબ ભારે પડે છે.  હું તેને ફરીથી સહન કરી શકતી નથી. તે સરળ નથી, જો તમે થોડા નાના હોય તો તમે તેને સહન કરી શકો છો. આટલા લાંબા સમય સુધી રમ્યા પછી હું હવે સહન કરી શકતી નથી.

જ્વાલા અને અશ્વિનીની જોડી સતત વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-20માં રહી હતી અને એક સમયે 10માં સ્થાને પહોંચી ગઈ હતી. અશ્વિની અને જ્વાલા બે ઓલિમ્પિક (2012 અને 2016)માં સાથે રમ્યા હતા પરંતુ પ્રારંભિક તબક્કાથી આગળ વધી શક્યા ન હતા.

અશ્વિનીએ કહ્યું હતું કે , “અમે આજે જીતવા માંગતા હતા. અમે ઇચ્છતા હતા કે પરિણામો અલગ અને સારા આવે. મારા અને તનિષા માટે સૌથી મોટી વાત એ હતી કે અમારે ઓલિમ્પિકમાં પહોંચવા માટે લાંબી મુસાફરી કરવી પડી હતી. તે સરળ ન હતું.''

તનિષા પણ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકી નહીં અને રડવા લાગી. તેણે કહ્યું હતું કે  “તે (અશ્વિની) અહીં મારો સૌથી મોટો આધાર રહી છે. અમને વધુ સારા પરિણામો જોઈતા હતા. તેણે મને દરેક વખતે પ્રેરણા આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget