શોધખોળ કરો
નો બોલ પર હારી RCB, વિરાટ કોહલીએ અમ્પાયરના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ

મુંબઇઃ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે ગુરુવારે રમાયેલી આઇપીએલની મેચમાં અંતિમ બોલ પર વિવાદ પેદા થયો છે. મુંબઇના 187 રનનો પીછો કરવા ઉતરેલી કોહલીની ટીમ બેગ્લોરને જીત માટે અંતિમ બોલ પર સાત રનની જરૂર હતી પરંતુ આ બોલ નો બોલ હોવા છતાં બોલને નો બોલ જાહેર કરાયો નહોતો અને બેગ્લોરની ટીમ 6 રનની હારી ગઇ હતી. અંતિમ ઓવર મુંબઇનો ઝડપી બોલર લસિથ મલિંગા કરી રહ્યો હતો અને તેની સામે શિવમ દુબે બેટિગ કરી રહ્યો હતો. મલિંગાએ દુબે સમક્ષ અંતિમ બોલ ફેંક્યો હતો અને આ દરમિયાન મલિંગાનો પગ ક્રિઝની બહાર હતો પરંતુ અમ્પાયરની નજર તેના પર પડી નહી અને બેગ્લોરે મેચ ગુમાવી દીધી હતી. જોકે, અમ્પાયરના આ નિર્ણય પર કોહલીએ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, અમે આઇપીએલ સ્તર પર ક્રિકેટ રમી રહ્યા છીએ કોઇ ક્રિકેટ ક્લબ ક્રિકેટ નથી. અંતિમ બોલ પર જે થયું તે ખોટું થયું છે. અમ્પાયર્સને પોતાની આંખ ખોલીને રાખવી જોઇએ. જો આ માર્જિનની રમત છે તો મને ખ્યાલ નથી આવતો કે આવું કેમ થઇ રહ્યું છે. અમ્પાયરે તેના પર ધ્યાન આપવું જોઇએ. મેચ બાદ પણ રોહિત શર્માએ કહ્યું કે, મને હાલમાં જાણ થઇ કે અમે ક્રિઝને પાર કરી ગયા હતા. આ પ્રકારની ચીજો ક્રિકેટ માટે યોગ્ય નથી. સાથે તેણે અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, બુમરાહની એક બોલ જેને વાઇડ આપવામાં આવી તે વાઇડ નહોતી. અમે એ જોઇને ખૂબ નિરાશ થયા છીએ.
મલિંગાના અંતિમ બોલને જો નો બોલ જાહેર કરાયો હોત તો બેગ્લોરને એક રન એકસ્ટ્રા મળ્યો હોત એટલું જ નહી પરંતુ એક ફ્રી હિટ મળી હોત. એવામાં મેચનું પરિણામ કાંઇક અલગ હોઇ શક્યું હોત.
વધુ વાંચો























