શોધખોળ કરો

વિન્ડિઝને હરાવીને વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, ધોનીનો આ રેકોર્ડ કર્યો ધ્વસ્ત

ભારત તેની સાથે જ એક સમયે વિશ્વ ક્રિકેટમાં શીખર પર રહેલી વિન્ડીઝની વિરુદ્ધ સતત આઠમી ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહી.

નવી દિલ્હીઃ વિરાટ સેનાએ એકવાર ફરી વેસ્ટઈન્ડીઝમાં જીતનો પરચમ લહેરાવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે યજમાન વેસ્ટઈન્ડીઝને જમૈકા ટેસ્ટમાં 257 રનથી હરાવીને બે ટેસ્ટ મેચોની સિરીઝ 2-0થી જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાએ પહેલી મેચ 318 રનના વિશાળ અંતરથી જીતી હતી. આ જીત સાથે વિરાટ કોહલીના નામે એક મોટો રેકોર્ડ પણ થયો છે. વિંડીઝ ટીમને હરાવી વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ આ ભારતની 28મી જીત છે. આ સાથે હવે વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલીએ જમૈકા ટેસ્ટ મેચ જીતીને મહેન્દ્ર સિંહ ધોનીના 27 ટેસ્ટના રેકોર્ડને તોડ્યો છે. ભારત તેની સાથે જ એક સમયે વિશ્વ ક્રિકેટમાં શીખર પર રહેલી વિન્ડીઝની વિરુદ્ધ સતત આઠમી ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહી. ભારતના 468 રનના ટાર્ગેટનો પીછો કરતાં વિન્ડીઝની ટીમ રવિન્દ્ર જાડેજા (58 રન પર 3 વિકેટ), મોહમ્મદ શમી (65 રન પર 3 વિકેટ), ઈશાંત શર્મા (37 રન પર 2 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (31 રન પર 1 વિકેટ)ની ધારદાર બોલિંગની સામે 59.5 ઓવરમાં 210 રને સમેટાઈ ગઈ. વિન્ડિઝને હરાવીને વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, ધોનીનો આ રેકોર્ડ કર્યો ધ્વસ્ત વેસ્ટ ઈન્ડિઝ તરફથી શમારા બ્રૂક્સે એક જીવતદાનનો ફાયદો ઉઠાવતા સૌથી વધુ 50 રન કર્યા જ્યારે જર્મેન બ્લેકવુડ ત્રણ જીવતદાન છતાંય 38 રન જ કરી શક્યો. બંનેએ પાંચમી વિકેટ માટે 61 રનનની પાર્ટનશશીપ કરી. કેપ્ટન જેસન હોલ્ડરે પણ 39 રન કર્યા. ટેસ્ટ સિરીઝમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ હનુમા વિહારીને આપવામાં આવ્યો છે. જેને પહેલી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી 111 રન અને બીજી ઇનિંગમાં પણ અડધી સદી ફટકારી 53 રન બનાવ્યા હતા. આ જીતથી ભારતને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં 60 પોઇન્ટ મળ્યા અને ટીમે બે મેચોમાં 120 પોઇન્ટની સાથે શીખર પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા બે-બે મેચોમાં સરખા 60-60 પોઇન્ટ સાથે ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget