શોધખોળ કરો
શું ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહિ રમી શકે ટીમ ઈંડિયા? જાણો શું છે વિવાદ

નવી દિલ્લી: ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે તે અંગે કોઈ નિર્ણય નથી લેવાયો જેની પાછળ બીસીસીઆઈ અને આસીસી વચ્ચે ચાલી રહેલો વિવાદ છે. બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને આઈસીસી ચેરમેન શશાંક મનોહર વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જાય તેવી શક્યતા છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે જૂન મહિનામાં ઈંગ્લેન્ડમાં થશે. બીસીસીઆઈએ આ વર્ષે ભારતમાં ટી-20 વિશ્વ કપ કરાવ્યો હતો. આટલી મોટી ટુર્નામેંટ માટે બીસીસીઆઈએ આઈસીસીને લગભગ 300 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે ક્રિકેટ બોર્ડને આ ટ્રોફી માટે આઈસીસીએ લગભગ 900 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ટી-20 વિશ્વકપ 27 દિવસ સુધી ચાલ્યો હતો. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો 18 દિવસમાં પૂરી થઈ જશે. ટી-20 વિશ્વ કપમાં કુલ 58 મેચ થયા જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં માત્ર 15 મેચ થશે. બીસીસીઆઈને આઈસીસી સાથે નારાજગી એટલા માટે છે કેમકે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આઈસીસીને ધમકીભર્યા સ્વરમાં ચેતવણી આપી છે. બીજી તરફ આઈસીસી પણ નમતુ જોખવા તૈયાર નથી. આસીસીના ચેરમેન શશાંક મનોહર બીસીસીઆઈની દલીલો સાથે સહમત નથી. તેમણે કહ્યું કે વર્લ્ડ કપમાં ચેમ્પિયન્સ ટ્રોફીની તુલનામાં વધારે મેચ હતી પણ ચેમ્પિયન્સ ટ્રોફીના મેચ દિવસે રમાશે અને ઈંગ્લેન્ડમાં રહેવાનો અને મુસાફરીનો ખર્ચો ભારત કરતા વધારે છે. આઈસીસીના નિવેદનથઈ સ્પષ્ટ થાય છે કે આ વિવાદ જલદી પતવાનો નથી. પણ બીસીસીઆઈ અને આઈસીસીની લડાઈમાં નુક્સાન ખેલ, ખેલાડીઓ અને દર્શકોનું છે.
વધુ વાંચો























