શોધખોળ કરો
સુરતમાં ભાજપની સભા ખોરવનારા વિપુલ માંગુકિયાની ઋત્વિજની રેલીમાં ધોલાઈ કરી લોહીલુહાણ કરાયો
1/12

વિજય માંગુકીયાને તત્કાળ સારવાર અર્થે સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો હતો. આ વાતની ખબર પડતાં સ્મીમેર હોસ્પિટલ ખાતે પાટીદાર સમર્થકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. તેના કારણે વાતાવરણ તંગ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને ટોળાંને તાત્કાલિક વિખેરી નાખ્યાં હતાં.
2/12

સુરતઃ ગુજરાત યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલની મંગળવારે સુરતમાં રેલી દરમિયાન ભાજપના કાર્યકરો અને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન પાસના આગેવાન વિપુલ માંગુકિયાની ભાજપના કાર્યકરોએ ભારે ધોલાઈ કરી લોહીલુહાણ કરી નાંખ્યો હતો.
Published at : 01 Feb 2017 10:10 AM (IST)
View More























