શોધખોળ કરો
નવરાત્રી વેકેશન નહીં પાડનારી સ્કૂલો સામે સરકાર કેટલો જંગી દંડ ફટકારશે.....
1/4

મળતી માહિતી મુજબ જો સરકાર દ્વારા વેકેશન કેન્સલ ન કરવામાં આવે તો પણ કેટલીક ખાનગી શાળાઓ ચાલુ જ રહેશે. બીજી બાજુ સરકારી તથા ગ્રાન્ટેડ સ્કૂલોમાં પણ વિરોધનો માહોલ છે. પરંતુ સરકારની ગ્રાન્ટ પર સ્કૂલો ચાલતી હોય સરકારી તથા ગ્રાન્ટેડ સ્કૂલોએ તો પરિપત્રનું પાલન કરવું જ પડશે. ત્યારે સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકોને વેકેશન નહીં આપે તો 1 લાખ સુધીનો દંડ કરવાની પણ ચિમકી આપી દીધી છે. ત્યારે આગામી દિવસમાં નવરાત્રી વેકેશનનો મુદ્દો વધુ ગરમાય તેવા એંધાણ છે.
2/4

રાજ્ય સરકાર દ્વારા તા.10 થી 17 ઓક્ટોબર સુધી નવરાત્રી વેકેશન જાહેર કરવામાં આવ્યું ત્યારે જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓએ નવરાત્રી વેકેશન માટેનો પરિપત્ર સ્વીકારી કોઈપણ પ્રકારનો વિરોધ કર્યો નથી.
Published at : 08 Oct 2018 11:02 AM (IST)
View More





















