શોધખોળ કરો
સુરત: યુવતીને સાધુ સુધી પહોંચાડનારી મહિલા કોણ ? જાણો વિગત
1/5

સુરતઃ બળાત્કાર કેસમાં સુરત પોલીસે સ્વામીનારાયણના એક સાધુની ધરપકડ કરી હતી. પોલીસે સાધુના રૂમમાં તપાસ કરતા ત્યાંથી કોન્ડોમ મળી આવ્યા હતા. ઉપરાંત ગોદડી અને ચટાઇ પર વીર્યના ડાઘ જોવા મળ્યાં હતા. સાધુએ યુવતી પર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીને તેની માતાની સારવાર માટે પૈસા આપવાની લાલચ આપીને સાધુએ તેની ઝાળમાં ફસાવી હતી. જોકે, બળાત્કાર ગુજાર્યા બાદ સાધુએ તેને ધમકી આપીને ભગાડી મૂકી હતી અને પૈસા પણ આપ્યા ન હતા. ડભોલી ચાર રસ્તા પાસે આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુ કારણસ્વરૂપદાસનું મૂળ નામ નિકુંજ સવાણી છે. હાલ પોલીસ આ કેસમાં તેની પૂછપરછ કરી રહી છે.
2/5

તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે આ યુવતીને કોઈ એક મહિલાએ સાધુ સુધી પહોંચાડી હતી. આ મહિલા કતારગામ વિસ્તારમાં ફરતી રહે છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ યુવતીને સાધુ સાથે શું સંબંધ છે. આ યુવતી સિવાય અન્ય કોઈ યુવતીઓને પણ સાધુ સુધી પહોંચાડવામાં આવી હતી કે કેમ? જો મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે તો આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થશે તે વાત ચોક્કસ છે.
Published at : 25 Oct 2018 08:51 AM (IST)
View More





















