શોધખોળ કરો
રાહુલ પર ફેંકાયેલ પથ્થર ગુજરાતનો નહીં રાજસ્થાનનોઃ ભાજપના ક્યા નેતાએ કર્યો આ દાવો
1/4

ધાનેરાથી હેલિપેડ તરફ જતી વેળા રાહુલની કાર પર પથ્થર ફેંકવાની ઘટના બનતાં સુરક્ષામાં છીંડાં બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ આ ઘટના બાદ કહ્યું કે, ઘટના દુઃખદ છે. મારા વિરોધથી કોઈ ફરક પડતો નથી. સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે ખૂબ ઓછું છે, પૂર પીડિતોને વધુ મદદ મળે તે માટે સરકારમાં રજૂઆત કરવાની તેમણે બાંયધરી આપી હતી.
2/4

રાહુલ ગાંધી ધાનેરાથી હેલિપેડ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. લોકોએ રાહુલ ગાંધીની મુલાકાત વેળા કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટનાક્રમ પાછળ કોંગ્રેસે ભાજપના ગુંડાઓનો હાથ હોવાનો સીધો આરોપ લગાવ્યો છે, તો ભાજપે કહ્યું કે પોતાના ભાગેડુ ધારાસભ્યોથી ધ્યાન અન્યત્ર ખેંચવા ગુજરાતમાં કોંગ્રેસે જ રાહુલ ગાંધી પર હુમલો કરાવ્યો છે.
Published at : 09 Aug 2017 12:37 PM (IST)
View More























