Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
ગુજરાતમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં જમીન માપણી દરમિયાન રહી ગયેલી ક્ષતિઓને કારણે ખેડૂતો લાંબા સમયથી પરેશાન હતા..અને એટલે જ રાજ્ય સરકારે ગ્રામીણ નાગરિકો અને ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જે અંતર્ગત રાજ્યના પ્રમોલગેશન થયેલા ગામોમાં જમીનની માપણીમાં રહી ગયેલી ક્ષતિઓને, સુધારવા માટે હવે સમગ્ર રાજ્યમાં એકસમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ રીતે ભૂમિ સીમાંકન દ્વારા નિકાલ કરાશે. આ નિર્ણય સુશાસન દ્વારા 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વેગ આપવા સાથે ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે. આ માટે, જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 'ભૂમિ સીમાંકન સમિતિ' કાર્યરત કરાશે અને ક્ષતિ સુધારણાની અરજીઓના નિકાલ માટે સાત વિવિધ કેટેગરી નક્કી કરવામાં આવી છે. માપણી ક્ષતિ સુધારણાના જટિલ પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે મોબાઈલ મૅજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરાશે, જેથી ખેડૂતોને કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને સુશાસનની સચોટ અનુભૂતિ થાય.























