Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢનો ભાલુડા વિસ્તાર....જ્યાં 15 ડિસેમ્બરની મોડી રાત્રે ગેરકાયદે ખનીજનું ખનન થતુ હોવાની બાતમીના આધારે નાયબ મામલતદાર તરુણ દવે ટીમ સાથે તપાસમાં ગયા.... ત્યારે ભરત અલગોતર, જયપાલ અલગોતર અને રવિ પરમાર સહિતના ખનીજ માફિયાઓ તેમના પર હુમલો કર્યો....હુમલાની ઘટનાની જાણ થતા જ્યારે મામલતદાર સ્થળ પર જવા નીકળ્યા ત્યારે વ્રજ ફાર્મ પાસે પણ 7થી 8 શખ્સોએ ધોકા, પાઈપ જેવા હથિયારો સાથે સરકારી વાહનને રોકવાનો પ્રયાસ કર્યો....આ અંગે થાનગઢ પોલીસે ખનીજ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી...જ્યારે તપાસમાં એવો પણ ખુલાસો થયો કે, આરોપીઓએ ગેરકાયદે બાંધકામ કર્યા છે...જેથી તમામ બાંધકામોને દૂર કરવાની નાયબ કલેક્ટરે 16 ડિસેમ્બરે સૂચના આપી...સૂચના બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ખનીજ માફિયાએ ગૌચરની જમીન પર ખડકી દીધેલા વ્રજ ફાર્મ અને જય દ્વારકાધીશ વે-બ્રિજ પર બુલડોઝર ફેરવાયું....જ્યારે તેમના મકાન પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી થઈ રહી હતી આ વચ્ચે થાન શહેર ભાજપ પ્રમુખ મુળુભા ગઢવીની એન્ટ્રી થઈ...અને ભૂમાફિયા ભરત અલગોતરનું રહેણાંક મકાન બચાવવા માટે નેતાજીએ હાથ જોડીને આજીજી કરી...સાંભળી લો તેમનો આજીજી કરતો એ વીડિયો
આ મુદ્દે શહેર ભાજપ પ્રમુખે વીડિયો બાબતે ખુલાસો કર્યો કે, અન્ય ગેરકાયદેસર બાંધકામ ભલે તોડી પાડવામાં આવે પણ રહેણાંક મકાનને હાલ પૂરતું ન તોડી થોડો સમય આપવા રજૂઆત કરી હતી....ચોટીલા પ્રાંત અધિકારી અનુસાર, માનવતાના ધોરણે 5 દિવસનો સમય આપ્યો છે....21 અથવા 22 ડિસેમ્બરે તમામ ગેરકાયદે બાંધકામ રહેણાંક હોય તો પણ બુલડોઝર ફેરવાશે....
------------------------
સુરેન્દ્રનગર રેડ
સુરેન્દ્રનગરના ચોટીલા સબ ડિવિઝન હેઠળ થાનગઢ અને મૂળી તાલુકામાં ગેરકાયદે કોલસાના ખનનને નેસ્તનાબૂદ કરવા નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ એક વ્હોટ્સએપ નંબર જાહેર કર્યો. જાગૃત નાગરિક તરફથી અભેપર ગામમાં ગેરકાયદે કોલસાનો કૂવો ચાલુ કરાયો છે અને મોડી રાત્રે મોટા વિસ્ફોટકો અને ધડાકાઓ કરતા હોવાની ફરિયાદ કરાઈ હતી.... મેસેજ મળતા જ ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે મધરાતે દરોડો પાડ્યો.... આ દરોડા સમયે બે ટ્રેકટર એક મીનિ ટ્રેકટર અને એક કમ્પ્રેશર મશીન, ચાર બકેટ, 19 નંગ સુપર પાવર નાઈટ વિસ્ફોટક સહિતનો જથ્થો સ્થળ પરથી જપ્ત કરાયો.. જેની કિંમત 17.30 લાખ થાય છે.... આ તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો... આ ઉપરાંત કોલસાની ખાણમાં કામ કરતા 9 જેટલા શ્રમિકોનું પણ રેસ્ક્યુ કરાયું.... ગેરકાયદે ખનન કરનારા ગોધરનભાઈ જેજરીયા, જયેશ મકવાણા અને તમામ વાહન માલિકો સામે ધ ગુજરાત મિનરલ પ્રોવિનેટેડ ઓફ લીગલ માઈન્ડિંગ ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 મુજબ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી.... આટલું જ નહીં તમામ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ તડીપારની કાર્યવાહી કરાઈ છે.... આ ઉપરાંત પ્રાંતના આદેશનું પાલન ન કરનારા તલાટી મંત્રી અને સરપંચ વિરૂદ્ધ નિયમાનુસાર કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે....





















