Hun To Bolish | હું તો બોલીશ | ઑપરેશન મોતનું ઈન્જેક્શન
સુરતમાં 31 જુલાઈના રોજ 17 જેટલા એવા લોકો પકડાયા હતા.જેમની કહાની મુન્નાભાઈ MBBS જેવી હતી. અલગ અલગ વિસ્તારમાંથી પકડાયેલા આ લોકો મેડિકલની એટલે કે એલોપેથી સારવારની કોઈ પણ ડિગ્રી લીધા સિવાય દવાખાના ચલાવતા હતા અને લોકોના જીવની સાથે રમતા હતા. કેમ કે આ મુદ્દે કાનૂન એટલો મજબૂત નથી ત્યારે આ મુન્નાભાઈ MBBS ફરી છૂટી ગયા. અને ફરી એ જ પ્રકારે લોકોનો જીવ જોખમમાં મૂકવા લાગ્યા છે. આ લોકોને આપ જુઓ છો ને તે પોલીસ ગિરફ્તમાં હતા ત્યારના દ્રષ્યો છે. પરંતુ અમે ત્યારે પોલીસે કેવી રીતે પર્દાફાશ કર્યો તે પ્રસારિત કર્યું હતું. પરંતુ આજે પ્રસારિત કરી રહ્યા છીએ જામીન પર છૂટેલા એ જ ઝોલા છાપ ડોક્ટરો જે જામીન પર છૂટતા જ લોકોની જિંદગીની સાથે રમત રમવા લાગ્યા છે.





















