શોધખોળ કરો
વલસાડના દરિયાકિનારે મળ્યા પાંચ મૃતદેહ, મુંબઇના જહાજના ક્રુ મેમ્બર હોવાની આશંકા
વલસાડ જિલ્લાના તિથલ અને ડુંગરીના દરિયા કિનારેથી પાંચ મૃતદેહ તણાઈ આવ્યા હતા. વલસાડ પોલીસને આશંકા છે કે વાવાઝોડા વખતે મુંબઈ નજીક દરિયામાં એક જહાજ ડૂબી જવાની ઘટના બની હતી તેના ક્રૂ મેંબરોના મૃતદેહો હોઈ શકે. વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરના દરિયાકિનારે ત્રણ જેટલા મૃતદેહ તણાઈ આવ્યા હતા. જેમાં 2 મૃતદેહો લાઈફ જેકેટ સાથે અને 1 મૃતદેહ લાઈફ જેકેટ વિના મળી આવ્યો હતો. તો અન્ય એક મૃતદેહ ડુંગરી નજીકથી અને અન્ય એક નાની ભાગલ ગામેથી મળી આવ્યો હતો. જેને લઇને વલસાડ પોલીસને જાણ કરતા વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















