કેવી રીતે ખબર પડે કે સીટી સ્કેનની જરૂર છે કે નહીં? જુઓ વીડિયો
કોરોનાની આ બીજી લહેરમાં લોકો ખુબ પરેશાન છે. વાયરસનો નવો સ્ટ્રેઇન એટલો ખતરનાક છે.. કે કેટલી વાર તો સામાન્ય RT-PCR ટેસ્ટમાં પકડાતો પણ નથી.. એટલે આજકાલ લોકો વિના તબીબી સલાહ સીધા સીટીસ્કેન કરાવી રહ્યા છે. ઇંસ્ટીટ્યૂટ ઑફ ચેસ્ટ સર્જરી, મેદાંતાના ચૅયરમેન ડૉ. અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર, સંક્રમણના પહેલા ફેઝમાં બ્રિધિંગ એક્સર્સાઇઝ કરો, ઉંડા શ્વાસ લઇ, શ્વાસને રોકવાનો પ્રયાસ કરો
કેટલી વાર સુધી શ્વાસ રોકી શકાય છે તેની નોંધ લો, રોજ શ્વાસ રોકવાની ક્ષમતાને થોડા સેકંડ વધારતા જાઓ, જો તમે 25 સેકંડથી વધુ શ્વાસ રોકી શકો છો, અને 6 મિનિટ સુધી ચાલવા પર તમારુ સેચ્યુરેશન નથી ઘટતુ
તો કોઇ મોટી સમસ્યા નથી. અને સીટીસ્કેન કરાવવાની કોઇ જરૂર નથી.





















