Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન
બગદાણાની ઘટનામાં 14 દિવસ બાદ જયરાજ આહિરને જામીન મળ્યાં છે. તેઓ જેલ બહાર આવશે, મહુવાની કોર્ટે જયરાજ આહિરને જામીન આપ્યાં છે. SITએ જયરાજ આહિરની ધરપકડ કરી હતી. અગાઉ આઠ આરોપીના જામીન મંજૂર થયા હતા. હવે જયરાજ આહિર સહિત સાત આરોપીના જામીન મંજૂર થયા છે. નવનીત બાલધિયા પર હુમલો કરવના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બન્ને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી. જેમા આજે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.




















