શોધખોળ કરો

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત

Bhavnagar Hooch Tragedy: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું કરૂણ મોત નીપજતાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ગોઝારા કાંડ બાદ હજુ પણ ભાવનગરની સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં 4 દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા સારવાર હેઠળ છે.

FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા

22 ઓગસ્ટે વધુ 4 લોકોના મોત થયા હતા. જેમાં સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મહીસાગરના મુકેશ ડામોરનું પણ મોત થયું હતું. આ સાથે સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના જીવ ગયા છે. મહીસાગર જિલ્લાના મુકેશ ડામોર નકલી દારૂ પીધા બાદ ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ICUમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મુકેશના મોત સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક 12 થયો હતો.

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો હતો. લઠ્ઠાની અસર થયેલ વધુ 4 અસરગ્રસ્તોના આજે મોત નિપજ્યાં હતા. સર.ટી. હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહેલા અવિનાશ પરમારનું ગઇકાલે મોત નિપજ્યું હતું.  તો હાર્દિક કિલજી અને સુરતમાં સારવાર લઈ રહેલા સંજય ડોડીયાનું પણ મોત થયું હતું.  મહીસાગરના મુકેશ ડામોરનું પણ મોત થતાં મૃત્યુઆંક 12 પર પહોંચ્યો હતો. જ્યારે આજે સારવાર લઈ રહેલા 26 અસરગ્રસ્તોના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવતા તમામન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. 

લઠ્ઠાકાંડની તપાસનું નેટવર્ક સિહોર તાલુક સુધી પહોંચ્યું છે. સિહોર પોલીસે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના બે બુટલેગરોની ધરપકડ કરી છે. પૂછપરછમાં વરતેજ ગામના હરદીપ મોરી પાસેથી 54 બોટલ રોયલ સ્ટેગની બોટલ ખરીદી હોવાની આરોપીઓએ કબૂલાત આપી છે. પરંતુ લઠ્ઠાકાંડની જાણ થતા જ બંન્ને આરોપીઓએ સર અને સાગવાડી ગામના ડુંગર વિસ્તારમાં રોયલ સ્ટેગની બોટલોનો નાશ કરી દીધો હતો

લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકીની ક્રાઈમ કુંડળી પણ ABP અસ્મિતાને હાથ લાગી છે. ગૌતમ સોલંકી વિરૂદ્ધ અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ચાર ગુના નોંધાયા છે.. જ્યારે એક મારામારીનો ગુનો પણ પોલીસ ચોપડે નોંધાય ચૂક્યો છે. ગૌતમ સોલંકી વિરૂદ્ધ સુરત,ભાવનગર અને દાહોદમાં ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો થયો છે.

લઠ્ઠાકાંડ વચ્ચે ભાવનગર જિલ્લા જેલ બહારની દિવાલ પાસેથી રોયલ સ્ટેગની બે ખાલી બોટલો મળી છે. ABP અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જેલ અધિક્ષકે દાવો કર્યો કે અમુલ લોકો દારૂનું સેવન કરીને ખાલી બોટલો જેલની દિવાલ પાસે ફેંકી દે છે. લઠ્ઠાકાંડ બાદ પોલીસ, નશાબંધી-આબકારી વિભાગે સતર્કતા વધારી છે. મિથેનોલના વિતરણ અંગે રાજ્યભરમાં તપાસ હાથ ધરાશે. મિથેનોલના વિતરકોના લાઈસન્સની ચકાસણી કરાશે. લાઈસન્સ ધારકો પાસે રહેલા સ્ટોકની પણ ચકાસણી શરૂ કરાશે.

લઠ્ઠાકાંડની તપાસમાં FSL રિપોર્ટ સૌથી મહત્વપૂર્ણ પુરાવા તરીકે સામે આવ્યો છે. તપાસમાં નકલી દારૂના સેમ્પલમાં 38.59 ટકા મિથેનોલ મળી આવ્યું છે, જ્યારે ઇથેનોલનું પ્રમાણ માત્ર 0.94 ટકા હતું. મિથેનોલ અત્યંત ઝેરી હોવાથી તેના સેવનથી ગંભીર અસર થઈ શકે છે.

ભાવનગર વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Embed widget