Chandigarh News : ચંદીગઢમાં મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ બનાવ્યું નિષ્ફળ
Chandigarh News : ચંદીગઢમાં મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ બનાવ્યું નિષ્ફળ
ચંદીગઢના સેકટર 43 બસ સ્ટેન્ડ નજીકથી સંદિગ્ધ IED મળતા જ મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો . રાત્રિના સમયે એક બેગમાં રહેલા ટિફિન બોક્સમાંથી વિસ્ફોટકો હોવાની જાણ થતાં, પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસ સંદર્ભે 'બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ' સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓ વિદેશમાં સ્થિત 'બબ્બર ખાલસા'ના હેન્ડલર સતનામ નૌશેરાની સૂચનાઓ પર કામ કરી રહ્યા હતા. આતંક ફેલાવવાના ઈરાદે ચંદીગઢમાં IED મૂકવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી. તેમ છતાં, લોકોએ સતર્ક રહેવું જોઈએ, પોતાની આસપાસની કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે.





















