શોધખોળ કરો

PM Kisan eKYC: ઘરે બેઠા કેવી કરી કરશો પીએમ કિસાન નિધિ ઈ-કેવાયસી ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ઇ-કેવાયસી પ્રક્રિયા ઘરે બેઠા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈને પણ તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે.

PM Kisan Scheme:  ભારતને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે. દેશના કુલ જીડીપીના 17 થી 18 ટકા કૃષિ ક્ષેત્રમાંથી આવે છે. ખેડૂત દિવસ-રાત મહેનત કરીને અનાજ ઉગાડીને લોકોને ભરણપોષણ આપે છે. સરકાર ખેડૂતોની મદદ માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો સમાવેશ થાય છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને આર્થિક મદદ માટે મોટી યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન સન્માન નિધિ યોજના). આ યોજના દ્વારા સરકાર નાના, ગરીબ અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ કરે છે.

આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ નાણાં ખેડૂતોના ખાતામાં વર્ષમાં ત્રણ વાર રૂ. 2,000ના હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ નાણાં દર ઇચ્છિત મહિને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કેન્દ્રની મોદી સરકારે જાન્યુઆરીમાં વર્ષનો પ્રથમ હપ્તો અને યોજનાનો 10મો હપ્તો જાહેર કર્યો હતો.  જો કોઈ ખેડૂતે 31મી મે સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવે તો તે આ યોજનાનો 11મો હપ્તો લઈ શકશે નહીં. તમે ઈ-કેવાયસીની સમગ્ર પ્રક્રિયા ઘરે બેઠા કરી શકો છો. આ માટે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં લિંક હોવો જોઈએ. લિંક કર્યા પછી તમે લેપટોપ, મોબાઇલથી OTP દ્વારા ઘરે બેઠા ઇ-કેવાયસી પૂર્ણ કરી શકો છો.

ખેડૂતો બે રીતે કરી શકે છે ઈ-કેવાયસી

ખેડૂતો બે રીતે પીએમ કિસાન માટે ઇ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. ઇ-કેવાયસી પ્રક્રિયા ઘરે બેઠા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈને પણ તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે.

નોંધનીય છે કે જો ખેડૂત પોતે OTP દ્વારા e-KYC કરે છે, તો તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં, જ્યારે તમે કોમન સર્વિસ સેન્ટર પર જઈને e-KYC કરાવો છો, તો ખર્ચ કરવો પડશે.  

કોમન સર્વિસ સેન્ટર ખાતે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતની બાયોમેટ્રિક રીતે E-KYC કરવામાં આવશે. મતલબ કે આ પ્રક્રિયા ખેડૂતના ફિંગરપ્રિન્ટથી પૂર્ણ થાય છે. આ સાથે કોમન સર્વિસ સેન્ટરમાં લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડ અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબરની પણ જરૂર પડશે.

કોમન સર્વિસ સેન્ટર પર ઇ-કેવાયસી માટે 17 રૂપિયા (PM કિસાન ઇ-કેવાયસી ફી) લેવામાં આવે છે. આ ઉપરાંત, CSC ઓપરેટરો 10 થી 20 રૂપિયા સુધીનો સર્વિસ ચાર્જ પણ વસૂલે છે. આ રીતે, તમારે CSC તરફથી eKYC માટે 37 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે.

પીએમ કિસાન યોજનામાં આ રીતે કરો KYC

  • PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર ક્લિક કરો.
  • અહીં તમે આ પોર્ટલના Home Page પર ક્લિક કરો.
  • અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે.
  • અહીં આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમે Searchદબાવો. અહીં તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે.
  • નંબર દાખલ કર્યા પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે.
  • ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે.
  • આ OTP દાખલ કરો.
  • તે પછી સબમિટ બટન દબાવો.
  • eKYC  યોગ્ય રીતે કરવામાં આવે તે પછી, તમને એક સંદેશ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય, તો eKYC is already done એવો મેસેજ આવશે.
  • જો ઇનવેલિડનો મેસેજ આવી રહ્યો હોય તો આવી સ્થિતિમાં તમારા આધારની કોઈપણ માહિતી ખોટી છે.
  • સૌપ્રથમ તેને આધાર કેન્દ્રમાં સુધારી લો અને તે પછી તમે ફરીથી આખી પ્રક્રિયા કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ઈ-કેવાયસી કર્યા પછી, 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.   
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
અમેરિકાના ટેરિફ બોમ્બ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: 'પીએમ મોદી જાહેર હિતના ભોગે પોતાની નબળાઈ....', જાણો શું છે અદાણી કનેક્શન?
અમેરિકાના ટેરિફ બોમ્બ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: 'પીએમ મોદી જાહેર હિતના ભોગે પોતાની નબળાઈ....', જાણો શું છે અદાણી કનેક્શન?
અમેરિકાએ ભારત પર ટેરિફ બમણો કર્યો: 50% ટેક્સથી ભારતના આ ઉદ્યોગોને થશે સૌથી મોટું નુકસાન?
અમેરિકાએ ભારત પર ટેરિફ બમણો કર્યો: 50% ટેક્સથી ભારતના આ ઉદ્યોગોને થશે સૌથી મોટું નુકસાન?
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડમ્પર પર વાગશે બ્રેક ?
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીની ચોરી કે કૌભાંડ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ફરાળ ઉપવાસ તોડાવશે
LRD Written Exam Result : લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના માર્ક જાહેર, પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે માર્ક
BIG News for Saurashtra Farmer: સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
અમેરિકાના ટેરિફ બોમ્બ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: 'પીએમ મોદી જાહેર હિતના ભોગે પોતાની નબળાઈ....', જાણો શું છે અદાણી કનેક્શન?
અમેરિકાના ટેરિફ બોમ્બ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: 'પીએમ મોદી જાહેર હિતના ભોગે પોતાની નબળાઈ....', જાણો શું છે અદાણી કનેક્શન?
અમેરિકાએ ભારત પર ટેરિફ બમણો કર્યો: 50% ટેક્સથી ભારતના આ ઉદ્યોગોને થશે સૌથી મોટું નુકસાન?
અમેરિકાએ ભારત પર ટેરિફ બમણો કર્યો: 50% ટેક્સથી ભારતના આ ઉદ્યોગોને થશે સૌથી મોટું નુકસાન?
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
'રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એક શબ્દ ન બોલ્યા': ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો
'રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એક શબ્દ ન બોલ્યા': ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો
ટ્રમ્પે ભારત પર લગાવ્યો 25% વધારાનો ટેરિફ તો શશિ થરૂરે આપી પહેલી પ્રતિક્રિય, જાણો તેમણે શું કહ્યું?
ટ્રમ્પે ભારત પર લગાવ્યો 25% વધારાનો ટેરિફ તો શશિ થરૂરે આપી પહેલી પ્રતિક્રિય, જાણો તેમણે શું કહ્યું?
હિમાચલ-ઉત્તરાખંડમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
હિમાચલ-ઉત્તરાખંડમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Embed widget