શોધખોળ કરો
અમિત શાહ ત્રણ દિવસના પ્રવાસે આજે ગુજરાત આવશે, ચિંતન શિબિરમાં ભાગ લેશે
1/3

ભાજપની ચિંતન શિબિર થલતેજ વિસ્તારમાં આવેલી કેન્સવિલે નામની ગોલ્ફ ક્લબ ખાતે મળશે. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નોટબંધીના વડાપ્રધાનના ઐતિહાસિક ગણાવીને ડિજીટલ પેમેન્ટ તરફ વધુને વધુ લોકો વળે એ દિશામાં સઘન કામગીરી કરવા માટે એક વિશેષ ચર્ચા સત્ર યોજે તેવી શક્યતા છે. બેઠકમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, પ્રદેશ પ્રભારી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
2/3

આ પછી રવિવારથી બે દિવસ માટે યોજાનારી પ્રદેશ ભાજપના નેતાઓની ચિંતન બેઠકમાં આગામી ૨૦૧૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ચાલી રહેલી ભાજપ સરકારના કાર્યક્રમો, યોજનાઓની અસરો અને નોટબંધી જેવા અનેક મુદ્દાઓ પર સમીક્ષા-ચર્ચાની શ્રેણીબદ્ધ બેઠકોમાં હાજરી આપશે.
Published at : 17 Dec 2016 07:11 AM (IST)
View More





















