શોધખોળ કરો
ભાનુશાળીની હત્યાના કેસમાં ભાજપના કયા નેતાની કરાઈ પૂછપરછ ?
1/3

અમદાવાદઃ ભાજપના નેતા જયંતિભાઈ ભાનુશાળીની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે અને પોલીસે કચ્છમાં ટોચના ઉદ્યોગપતિ જયંતિ ઠક્કર અને તેમના ભાગીદાર મોહમદ સિદ્દીકી ઝુનેઝાની પૂછપરછ કરી છે. આ પૂછપરછ પછી અનેક નવા ખુલાસા થાય તેવી શક્યતા છે.
2/3

મોહમદ સિદ્દીકી ભુજ ભાજપ શહેરના પૂર્વ મહામંત્રી છે. ગઈ કાલ સાંજથી બંનેની પૂછપરછ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યંતિ ઠક્કરને પોલીસે ભાનુશાળીના આર્થિક વ્યવહારો તથા બીજી પ્રવૃત્તિઓ અંગેના સવાલો પૂછ્યા હતા. ભાનુશાળી હત્યા કેસમાં જેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં જ્યંતિ ઠક્કરનું પણ નામ છે.
Published at : 11 Jan 2019 11:52 AM (IST)
Tags :
Jayanti BhanushaliView More





















