શોધખોળ કરો
પાણીપુરી ખાતાં પહેલાં ચેતોઃ ટોઈલેટ ક્લિનર પછી હવે ક્યા ખતરનાક કેમિકલની ભેળસેળ આવી બહાર? જાણીને લાગશે આઘાત
1/6

અમદાવાદ:અમદાવાદમાં પાણીપૂરીના પાણીમાં ટોઈલેટ ક્લીનરની ભેળસેળ કરનારાને છ માસની સજા થઈ એ સમાચાર તાજા છે ત્યાં નવો ધડાકો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાંથી 26 પાણીપુરીવાળાને ત્યાંથી સેમ્પલ લીધા હતા. તેમાં પાણીમાં કલરવાળા કેમિકલનું મિશ્રણ કરાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
2/6

હેલ્થ વિભાગને સંજય પકોડી સેન્ટર (તિલકબાગ, એલિસબ્રિજ), પ્રેમ પકોડી સેન્ટર (સરદાર સ્મારક ભવન, લાલ દરવાજા), મહાલક્ષ્મી પકોડી (નરોડા), આશીર્વાદ પકોડી હાઉસ (ખોખરા) અને સુરેશ પકોડી સેન્ટર (મણિનગર)ના પાણીમાં ભેળસેળ હોવાનું માલૂમ પડતાં હવે તેમની સામે કાર્યવાહી કરાશે.
Published at : 02 Mar 2017 10:56 AM (IST)
View More























