શોધખોળ કરો
અમદાવાદઃ પોલીસે જાતિય સતામણી કરનારા લુખ્ખાઓને કંઇ ન કરતાં યુવતીનો આપઘાત
1/6
અજિત મિલ ચાર રસ્તા પાસે બનેલી ગરીબ આવાસ યોજનામાં સુરૈયાબાનુ અસલમભાઈ સોઢા પરિવાર સાથે રહેતા હતા. તેમની સામે જ રહેતા ફારુકની હરકતોને કારણે આખો પરિવાર ત્રસ્ત થઈ ગયો હતો. બંને દીકરીઓની જાતિય સતામણી અને પોલીસ ફરિયાદ પછી જીવલેણ હુમલા પછી ડરી ગયેલો પરિવાર પોલીસ કમિશ્નરની ઓફિસની બાજુમાં આવેલા પાર્કિંગમાં રહેવા આવી ગયો હતો. ત્યાં તેમણે નજીકની એક દરગાહમાં આશરો મેળવ્યો હતો.
2/6

ગઈ કાલે સુરૈયાબાનુના આપઘાત પછી પરિવારે મૃતદેહ નહીં સ્વીકારવાની જીદ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ પરિવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ અરજી કરી હતી. આ અરજીમાં આક્ષેપ કરાયો છે કે,જ્યારે બંને બહેનોએ ફારુકનો સતત વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે ફારૂકે સુરૈયાબાનુ પર હુમલો કર્યો અને તેને હાથની આંગળીમાં ફ્રેક્ચર કરી દીધું હતું. આ વાતની જાણ અંતે પોલીસને કરી તો પોલીસે સામાન્ય કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. કલમ હળવી હોવાથી ફારુક અને તેના મદદગાર તરત છુટી ગયા હતા.
Published at : 24 Oct 2016 02:43 PM (IST)
View More





















