સુગર લો થતા ચંદ્રમણી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરની માહિતી પ્રમાણે તેમની તબિયત હાલ એકદમ સ્થિર છે. તોગડિયા મળી આવતા મોટી સંખ્યમાં સમર્થકો અને પરિવારના લોકો હૉસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જો કે સમગ્ર મામલે રહસ્ય અકબંધ છે કે પ્રવિણ તોગડિયા કોતરપુર વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યા હતા..હાલ સમગ્ર મામલે ખાસ ટીમ બનાવી કાર્યવાહી શરુ કરી છે.
2/4
તોગડિયા 11 કલાક બાદ કોતરપુર વિસ્તારમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવતા 108ની મદદથી ચંદ્રમણિ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ગઈકાલે સવારે 10 વાગ્યાથી લાપતા પ્રવિણ તોગડિયા રાત્રે 9 વાગ્યાની આસપાસ મળી આવ્યા હતા.
3/4
હાલમાં ચંદ્રમણી હોસ્પિટલ પર એસીપી રાજેશ ગઢ્યા અને સ્થાનિક પોલીસ પહોંચી છે. આ ઘટનાક્રમમાં માહિતી મળી છે કે, તોગડિયા સાતથી વધુ મોબાઈલ રાખતા હતા. જેમાંથી બે મોબાઈલ અને બે સૂટકેશ મિસિંગ છે. તો આજે પ્રકરણમાં પોલીસ વિહિપમાં તોગડિયાના રૂમની તપાસ થાય તેવી શક્યતા છે.
4/4
અમદાવાદઃ વિહિપ નેતા પ્રવિણ તોગડિયા લાપતા થવાના કેસમાં વિહિપના કાર્યાલયથી પ્રવીણ તોગડિયા સાથે જનાર વ્યક્તિનું નામ ધીરૂભાઈ કપુરિયા હોવાનું સામે આવ્યું છે. જેઓ વિહિપના કાર્યાલયમાં જ કામ કરે છે. ક્રાઈમ બ્રાંચે ધીરૂભાઈની કૉલ ડીટેઈલની તપાસ શરૂ કરી.જ્યારે અન્ય એક શખ્સ જેણે તોગડિયાને હૉસ્પિટલ પહોંચાડ્યા તેની તપાસ પોલીસે તપાસ કરી છે.