શોધખોળ કરો
પત્નીને ભરણપોષણ ન આપવું પડે તે માટે પતિએ કર્યું આવું કારસ્તાન, જાણીને ચોંકી જશો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 29 Aug 2017 11:27 AM (IST)
1/5

ઉપરાંત પતિ સામે બોગસ દસ્તાવેજ બનાવવા સહિતની કલમ મામલે ફરિયાદ કરવા માટે નવરંગપુરા પોલીસ મથકમાં અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, અમારા ભરેલા રિટર્ન બોગસ સહીથી ભરવામાં આવ્યા છે અને તે પુરાવા સ્વરૂપે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પતિ રાહીલ દર મહિને ૯૦ હજારની ટ્યૂશન આવક મેળવે છે અને એલઆઇસીનો એજન્ટ છે ત્યાંથી ૨૫ હજાર જેટલું કમિશન મેળવે છે અને સ્થાવર મિલકત પણ ધરાવે છે. જેસ્મીને ઇન્કમટેકસ વિભાગને અરજી કરી જણાવ્યું છે કે, મારા નામે બોગસ રિટર્ન ફાઇલ કરાયું છે જેની નકલો રજૂ કરું છું. મારા પતિએ ખોટી રીતે રિટર્ન ફાઇલ કર્યા છે જેથી અમે તેમની સામે ગુનો નોંધવા માટે પોલીસ મથકમાં પણ અરજી કરી છે.
2/5

જેની સામે રાહીલે ફેમિલી કોર્ટમાં લેખિત જવાબ રજૂ કર્યો હતો અને તેમાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ સુધીના રિટર્નની નકલ રજૂ કરી હતી. જેમાં જેસ્મીનના ટ્યૂશનની મોટી આવક દર્શાવવામાં આવી હોવાની જાણ જેસ્મીનને થઇ હતી. ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ સુધીના રિટર્ન પણ ખોટી સહીથી ભર્યા હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ કેસની સુનાવણીના દિવસે એડ્વોકેટ સંદીપ ક્રિષ્ટીએ આ મામલે કોર્ટને ધ્યાન દોર્યું હતું.
3/5

દોઢ વર્ષ પહેલાં રાહીલે જેસ્મીનને માર મારી કાઢી મુકતા તે તેના ભાઇના ઘરે રહેવા મજબૂર બની હતી. ત્યાંથી તેણે એડ્વોકેટ સંદીપ ક્રિષ્ટી મારફતે ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઉપરાંત મેટ્રોકોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એકટ હેઠળ પણ ફરિયાદ દાખલ કરી હતી.
4/5

બાદમાં આ મામલે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધવા માટે નવરંગપુરા પોલીસ મથકમાં અરજી કરી છે. જેથી પોલીસે નિવેદન લઇ કાર્યવાહી હાથ ધરી છે. મણિનગરમાં રહેતી જેસ્મીનના લગ્ન ૨૦ વર્ષ પહેલાં તેના જ સમાજના રાહીલ સાથે થયા હતા. આ દરમિયાન જેસ્મીને દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બન્નેનું લગ્ન જીવન સારું ચાલતું હતું પરંતુ રાહીલ અવારનવાર નાની નાની બાબતે માથાકુટ કરી જેસ્મીનને ત્રાસ આપતો હતો.
5/5

અમદાવાદ: ભરણપોષણ ન આપવું પડે તે માટે પતિએ જ પત્નીની વધુ આવક દર્શાવતું રિટર્ન ફાઇલ કર્યું હોવાનો મુદ્દો ફેમિલી કોર્ટમાં પ્રકાશમાં આવ્યો છે. પતિએ કોર્ટમાં પત્નીની આવક વધુ હોવાનો બચાવ કરી ભરણપોષણ ન આપવું જોઇએ તેવી રજૂઆત કરી હતી. જોકે પત્નીને ધ્યાન આવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી કોઇ જ રિટર્ન ફાઇલ કર્યું નથી પરંતુ ભરણપોષણ ન આપવું પડે તેથી પતિએ જ ખોટું રિટર્ન ફાઇલ કર્યું છે. જેથી આ મામલે પત્નીના એડ્વોકેટે કોર્ટમાં ખોટા દસ્તાવેજ રજૂ કરવા મામલે પગલાં લેવાની રજૂઆત કરી હતી.
Published at : 29 Aug 2017 11:27 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
ગુજરાત
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
બોલિવૂડ
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
દેશ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
ટ્રેન્ડિંગ સમાચાર






















