શોધખોળ કરો
દિનેશ બાંભણિયાના આક્ષેપો પર પાસ નેતા હાર્દિક પટેલે શું કહ્યું? જાણો વિગત
1/7

પાટીદાર સમાજને અનામત, ખેડૂતોને ન્યાય અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિની માંગણી સાથે સત્યાગ્રહ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં ભાજપે એકતા યાત્રા કાઢીને લોકોને ભેગા કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની યાત્રામાં 100 જેટલા પણ લોકો એકઠાં થયા ન હતાં. એટલું જ નહીં કાર્યક્રમ બાદ સરદારની પ્રતિમાઓને રઝળતી મૂકીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે.
2/7

હાર્દિકે જણાવ્યું હતું કે, અમે ગુજરાતના ખેડૂતોના હિત અને અધિકારની વાત કરીએ છીએ. સરદારની પ્રતિમા એ વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટેની પ્રતિમા છે. આ દેશમાં છાતિ કાઢીને ચાલવાનો અધિકાર હોય તો એ એકમાત્રને ખેડૂતને છે. પરંતુ ખેડૂત બહુ દુઃખી છે.
Published at : 28 Oct 2018 02:11 PM (IST)
View More




















