અમદાવાદઃ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા છે. મીરા કુમારે અહીં ચરખો કાંત્યો હતો. મીરા કુમારે ચૂંટણી પ્રચારની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી કરી છે. રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર મીરા કુમારે બે દિવસ પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ મીરા કુમાર લોકસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે.