શોધખોળ કરો
પાંચ મહાનગરોમાં સરકારી જમીન પર દબાણ કરનાર કેટલી રકમ ભરીને માલિક બનશે, જાણો
1/5

આ વટહુકમ અમલમાં લાવવાનું નોટિફિકેશન બહાર પડ્યેથી ત્રણ માસની અંદર લાભાર્થીઓએ નિયમ નમૂનામાં જરૂરી આધાર પુરાવા અને ડિપોઝીટ સહિત અરજી કરવાની રહેશે. આ યોજના ત્રણ મહિના સુધી ચાલુ રહેશે ત્યારબાદ તેના લાભ મળી શકશે નહીં.
2/5

આ વટહુકમથી મહત્વની જોગવાઇ મુજબ 1-1-2011 કે તે પહેલાથી બાંધકામવાળી જમીન પર ભોગવટો ધરાવનાર વ્યક્તિ, ભોગવટો કાયદેસર કરવા અરજી કરી શકશે. આ ઉપરાંત 1-1-2011 પછી પરંતુ 1-6-2016 પહેલાનો ભોગવટો ધારણ કરનાર વ્યક્તિ 1-1-2011ની સ્થિતિએ જે ભોગવટેદાર હોય તે વ્યક્તિ પાસેથી ભોગવટાવાળી જમીન કેવી રીતે તબદીલ થયેલ છે. તેના પુરાવા સાથે જમીનને કાયદેસર કરવા અરજી કરી શકશે. પરંતુ 31-05-16 પછીના ભોગવટેદારનો ભોગવટો કાયદેસર કરી શકાશે નહીં.
Published at : 07 Dec 2016 05:44 PM (IST)
View More























