શોધખોળ કરો
અમદાવાદઃ ‘Dy.SP પટેલ મારા પતિ સાથે શારીરિક સંબંધો બાંધીને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવા માંગતા હતા’
1/4

અમદાવાદઃ અમદાવાદમાં પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી એન.પી. પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિ સાથે શારીરિક સંબંધો બાંધવા માગતા હતા અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરતા હતા.
2/4

3/4

ડિમ્પલ રાઠોડના દાવા પ્રમાણે પીએસઆઈ રાઠોડ એ માટે તૈયાર નહોતા તેથી પટેલ અત્યાચાર કરતા. તેના કારમે મારા પતિ માનસિક રીતે હારી ગયા હતા, અને તેમણે પોતાના ઘરની ચિંતા કર્યા વગર પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો.
4/4

તેમણે વધુમાં કહ્યું હતું કે, મારા પતિ ઘણા સમયથી ચિંતામાં રહેતા હતા. મેં જ્યારે નાની દીકરીના સોગંદ આપ્યા ત્યારે તેમણે મને બધી હકીકતો કહી હતી. ડિમ્પલે એવો આક્ષેપ પણ મૂક્યો છે કે, ડીવાયએસપી પટેલ તેમના પતિને અપમાનિત કરી ‘તારો પગાર ખાઈ જઈશ, તારી નોકરી ખાઈ જઈશ’ એવી ધમકી આપતા હતા.
Published at : 02 Jan 2019 10:06 AM (IST)
Tags :
PSI Suicide CaseView More




















