સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે સોંપેલા 2002ના કેસના રિપોર્ટ વિરુદ્ધ જાફરીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટીને સળગાવી દેવામાં આવી હતી જેમાં અહેસાન જાફરી સહિત લગભગ 68 લોકોના મોત થયા હતા. ડિસેમ્બર 2013માં જાફરીની નરેન્દ્ર મોદી સહિત અન્ય લોકોને આરોપી જાહેર કરવાની અરજી મેટ્રોપોલિયન કોર્ટે ફગાવી હતી. ત્યારબાદ 2014માં તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
2/3
અમદાવાદઃ ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોને લઇને કોગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીની અરજી પર શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે નિર્ણય મુલતવી રાખ્યો હતો. હાઇકોર્ટ આ કેસનો ચુકાદો 26 સપ્ટેમ્બરના રોજ આપશે.
3/3
નોંધનીય છે કે 3 જૂલાઇના રોજ હાઇકોર્ટે જાફરીની અરજી પર સુનાવણી પુરી કરી લીધી હતી. 2002ના રમખાણોના કેસમાં નીચલી અદાલતે વડાપ્રધાન મોદી અને અન્ય 58 લોકોને ક્લીન ચીટ આપી હતી. નીચલી અદાલતના આ ચુકાદાને ઝાકીયા જાફરીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.