અમદાવાદઃ શહેરના વેજલપુરમાં રહેતી પરિણીતાએ તેના જ જેઠ સામે વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે. પરિણીતાએ મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાનો આરોપ છે કે, તેના પતિ અને જેઠે તેના 40 લાખની કિંમતના દાગીના પણ ગીરવે મૂકી લોન લઈ લીધી છે.
2/5
વધુ તપાસ કરતાં પતિ અને જેઠે દાગીના ગીરવે મૂકી દીધા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે અને તેના જેઠે દાગીના ઓળવી લેવાની અને અનેકવાર જેઠે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે.
3/5
દીકરી પરણવા લાયક થતાં અને તેના લગ્નની તૈયારીઓ પણ શરૂ થતાં મહિલાએ પતિ પાસે દાગીના બેંક લોકરમાંથી પરત લાવવા કહ્યું હતું. જોકે, પતિને વારંવાર કહેવા છતાં દાગીના નહીં લાવતાં તેને શંકા ગઈ હતી. આથી તેણે લોકરની ચાવી લઈ તપાસ કરતાં દાગીના નહોતા.
4/5
મહિલા બીજા લગ્ન માટે રાજી થતાં મેટ્રોમોનિયલ સાઇટ્સ પરથી વેજલપુરમાં રહેતા જનક શાહ નામના યુવક સાથે 2009માં ફરી લગ્ન કર્યા હતા. આ સમયે મહિલા અગાઉના સાસરેથી રૂપિયા 40 લાખની કિંમતના દાગીના લાવી હતી. આ સમયે તેના પતિએ દાગીના બેંક લોકરમાં મુકાવી દીધા હતા.
5/5
આ અંગેની વિગતો એવી છે કે, ફરિયાદી મહિલાના પહેલા લગ્ન વર્ષ 1991માં થયા હતા. આ લગ્નજીવન દરમિયાન મહિલાએ એક બાલકીને જન્મ આપ્યો હતો. દરમિયાન 2008માં તેના પતિનું મોત થતાં પરિવારજનોએ તેના બીજા લગ્ન કરાવવાનું વિચાર્યું હતું.