બુધ 27 એપ્રિલે મેષ રાશિમાં અસ્ત થયો છે અને 23 મે સુધી આ જ સ્થિતિમાં રહેશે.
બુધ 23 મે સુધી રહેશે અસ્ત: આ 4 રાશિઓ માટે સમય છે ભારે, જાણો શું થશે અસર
બુધ 23 મે સુધી અસ્ત રહેશે, જેના કારણે મેષ અને કર્ક સહિત 4 રાશિના લોકોનું ટેન્શન વધશે.

- મેષ રાશિમાં બુધ 27 એપ્રિલથી 23 મે સુધી અસ્ત રહેશે.
- આ સમયગાળો વેપાર, કરિયર અને નિર્ણયો પર અસર કરશે.
- મેષ, કર્ક, તુલા, મકર રાશિના લોકોએ ખાસ સાવચેતી રાખવી.
- માનસિક તણાવ અને આર્થિક નિર્ણયોમાં સાવચેતી જરૂરી રહેશે.
Budh Ast 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહ 23 મે સુધી મેષ રાશિમાં અસ્ત રહેશે. બુધના આ અસ્ત થવાની સીધી અસર લોકોના વેપાર, કરિયર, વાતચીત કૌશલ્ય અને નિર્ણય લેવાની ક્ષમતા પર પડશે. ખાસ કરીને મેષ, કર્ક, તુલા અને મકર એમ 4 રાશિના લોકો માટે આ સમયગાળો થોડો મુશ્કેલ બની શકે છે અને તેમના રોજિંદા જીવનમાં માનસિક તણાવ વધી શકે છે.
જયપુર-જોધપુરની પાલ બાલાજી જ્યોતિષ સંસ્થાના ડિરેક્ટર અને જાણીતા જ્યોતિષી ડૉ. અનીશ વ્યાસના જણાવ્યા મુજબ, બુધ ગ્રહ 27 એપ્રિલના રોજ અસ્ત થયો છે અને તે પૂરા 27 દિવસ સુધી એટલે કે 23 મે સુધી આ જ સ્થિતિમાં રહેશે. જ્યોતિષ વિદ્યા અનુસાર, જ્યારે બુધ સૂર્યની એકદમ નજીક આવી જાય છે ત્યારે તે અસ્ત થઈ જાય છે. આ અસ્ત અવસ્થા દરમિયાન ગ્રહનો પ્રભાવ અને તેનું તેજ ઘટી જાય છે. પરિણામે લોકોની બુદ્ધિ, તર્કશક્તિ અને વ્યવસાયિક નિર્ણયો પર તેની નકારાત્મક અસર જોવા મળે છે.
ચાલો જાણીએ કે બુધના અસ્ત થવાથી કઈ 4 રાશિના લોકોએ 23 મે સુધી ખાસ સાવચેત રહેવાની જરૂર છે:
મેષ: આ સમયગાળો તમારા માટે થોડો ટેન્શનવાળો રહી શકે છે. તમારે તમારા કામ, કરિયર અને વેપાર પર ખાસ ધ્યાન આપવું પડશે, નહીંતર નુકસાન જવાની પૂરેપૂરી સંભાવના છે. 23 મે સુધી કોઈપણ નવું પગલું ભરતા પહેલા ખૂબ જ સાવધાની રાખજો.
કર્ક: 23 મે સુધી તમારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. આ સમય દરમિયાન કોઈપણ મોટું રોકાણ કરવાનું ટાળજો. જો કોઈ અગત્યનો નિર્ણય લેવાનો આવે, તો પૂરો વિચાર કર્યા પછી જ આગળ વધજો.
વાસ્તુ શાસ્ત્ર: ઘરમાં સોનું કેમ ટકતું નથી? જાણો આ 4 મુખ્ય કારણો અને બચવાના ઉપાયો
તુલા: બુધનું અસ્ત થવું તમારી આર્થિક સ્થિતિ પર અસર કરી શકે છે. તમારા કરિયરમાં પણ થોડાક અવરોધો આવવાની શક્યતા છે. જો કે, ગભરાવાની જરૂર નથી; જો તમે સાવચેતીથી અને ધ્યાનપૂર્વક કામ કરશો તો તમને સફળતા ચોક્કસ મળશે.
મકર: આ સમય તમારી માનસિક શાંતિ ડહોળી શકે છે. જો તમે કોઈ નવી વ્યવસાયિક યોજનાઓ બનાવી છે, તો તેમાં હાલ પૂરતી નિષ્ફળતા મળી શકે છે. આનાથી તમારું માનસિક ટેન્શન વધી શકે છે, તેથી આ દિવસોમાં શાંતિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે.
આગામી 24 કલાક ભારે! 28 એપ્રિલે બની રહ્યો છે ‘વ્યાઘાત યોગ’, આ 5 રાશિઓ માટે મુશ્કેલી...
Frequently Asked Questions
બુધ ક્યાં અને ક્યાં સુધી અસ્ત રહેશે?
બુધના અસ્ત થવાની અસર કઈ રાશિઓ પર પડશે?
મેષ, કર્ક, તુલા અને મકર રાશિના લોકો પર ખાસ અસર પડશે. આ સમયગાળામાં તેમને માનસિક તણાવ વધી શકે છે.
બુધ ગ્રહ શા માટે અસ્ત થાય છે?
જ્યારે બુધ સૂર્યની ખૂબ નજીક આવી જાય છે, ત્યારે તે અસ્ત થઈ જાય છે. આ દરમિયાન તેનો પ્રભાવ ઘટી જાય છે.
બુધના અસ્ત થવાથી વેપાર અને કરિયર પર શું અસર થઈ શકે છે?
બુધના અસ્ત થવાથી વેપાર, કરિયર, વાતચીત કૌશલ્ય અને નિર્ણય લેવાની ક્ષમતા પર નકારાત્મક અસર થઈ શકે છે. નુકસાન થવાની શક્યતા છે.



















