![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navratri 2023 Mantra: નવરાત્રિમાં કરો આ ચમત્કારી મંત્રોનો જાપ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, મળશે દરેક દુઃખમાંથી મુક્તિ
નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રોના જાપ કરવાથી દુર્ગા મા ઝડપથી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો.
![Navratri 2023 Mantra: નવરાત્રિમાં કરો આ ચમત્કારી મંત્રોનો જાપ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, મળશે દરેક દુઃખમાંથી મુક્તિ Chaitra navratri 2023 mantra chant these navratri maa durga mantras for nine days Navratri 2023 Mantra: નવરાત્રિમાં કરો આ ચમત્કારી મંત્રોનો જાપ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, મળશે દરેક દુઃખમાંથી મુક્તિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/e954a413f2e1824581fcc1ddb0f9300d1679245718865557_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maa Durga Mantras: નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રોના જાપ કરવાથી દુર્ગા મા ઝડપથી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો.
22 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન માતા રાણીને પ્રસન્ન કરવા માટે વિવિધ પદ્ધતિઓ અને ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રો પણ ખૂબ જ અસરકારક બને છે. નવરાત્રિ દરમિયાન માતા રાણીના આ મંત્રોના જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે.
શાસ્ત્રો અનુસાર આ મંત્રોનો શુદ્ધ અને સાચા મનથી જાપ કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. નવરાત્રિ દરમિયાન આ મંત્રોના જાપ કરવાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો. આવો જાણીએ દુર્ગા માતાના આ ચમત્કારી મંત્રો વિશે.
મા દુર્ગાના ચમત્કારિક મંત્રો
ઓમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની.
દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે ।
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ તુષ્ટિરુપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ દયારુપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।
ઓ દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।
પંચકમાં નવરાત્રિની પૂજા પદ્ધતિ
જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિની પૂજા પર પંચકની અસર નહીં પડે. પરંતુ લોકોના મનમાં મૂંઝવણ છે કે પંચક કાળમાં નવરાત્રિની પૂજા કેવી રીતે કરવી અને કયો સમય પૂજા માટે શુભ રહેશે. તમને જણાવી દઈએ કે પંચક નવરાત્રી પૂજા પર અસર કરશે નહીં. પરંતુ નવરાત્રી સમયે આ આ વખતે પંચક રોગનો યોગ છે. , જે લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે.
નવરાત્રિની પૂજા માટે સૌ પ્રથમ ઘરની સફાઈ કરો અને ઘટસ્થાપન સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરો. પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો અને વિધિપૂર્વક માતા રાનીની પૂજા કરો. માતાને અક્ષત, સિંદૂર, ફૂલ, ફળ, મીઠાઈઓ અર્પણ કરો અને દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. નવરાત્રિના પ્રથમ દિવસે સવારે 6:23-7:32 સુધી મંદિરોમાં ઘટસ્થાપન અને અભિજીત મુહૂર્તમાં સવારે 11:05-12:35 દરમિયાન ઘરે ઘરે ઘટસ્થાપન કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)