શોધખોળ કરો

Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ

ભરઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ સુધી માવઠાની આગાહી વ્યક્ત કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

ગાંધીનગર: ભરઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ સુધી માવઠાની આગાહી વ્યક્ત કરી છે. આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે આ કારણે વરસાદી માહોલ જોવા મળી શકે છે. કમોસમી વરસાદને પગલે લોકોને ગરમીથી પણ રાહત મળી શકે છે. 

પવનની ગતિ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક સુધી રહેશે 

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,  જામનગર, મોરબી, કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાની સાથે-સાથે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. 

આવતીકાલે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ

ગુરુવારના દિવસે 19 માર્ચે  ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે  19 માર્ચે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.

20 માર્ચે આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા 

20મી માર્ચે વરસાદની અસર ધીમી પડશે, પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને પાલનપુરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટરનું શું કહેવું છે?

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર,18  તારીખથી જ વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ જશે.  18, 19 અને 20 તારીખે હળવાથી મધ્યમ વરસાદની સાથે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ થવાની પૂરી સંભાવના છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છેક ગુજરાત સુધી વિસ્તરેલું હોવાથી આ માવઠું પડશે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સમાજ સેવા અને રાજકીય નિષ્ઠાનો સંગમ: જનક રમણલાલ જોશીનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ
સમાજ સેવા અને રાજકીય નિષ્ઠાનો સંગમ: જનક રમણલાલ જોશીનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
Advertisement

વિડિઓઝ

Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget