શોધખોળ કરો
બે દિવસ પછી છે લગ્ન-શુભ પ્રસંગો માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત, એ પછી પાંચ મહિના બાદ થઈ શકશે લગ્ન, જાણો વિગત
અષાઢ મહિનાના સુદ પક્ષની નોમ તિથિને ભડલી નોમ કહેવાય છે. આ દિવસને લગ્ન અને અન્ય માંગલિક કાર્યો કરવા માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે.

અષાઢ મહિનાના સુદ પક્ષની નોમ તિથિને ભડલી નોમ કહેવાય છે. આ દિવસને લગ્ન અને અન્ય માંગલિક કાર્યો કરવા માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે. આ વર્ષે ભડલી નોમ સોમવારે એટલે 29 જૂનના રોજ છે. આ દિવસે ગુપ્ત નવરાત્રિ પૂર્ણ થશે. રાજસ્થાન, ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં ભડલી નોમને વણજોયું મુહૂર્ત માનવામાં આવતું હોય છે. આ દિવસના એક દિવસ બાદ દેવશયની એકાદશી આવવાથી 4 મહિના માટે લગ્ન, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ અને અન્ય માંગલિક કામ થઈ શકતાં નથી. પરંતુ આ વર્ષે અધિકમાસ હોવાથી 5 દિવસ સુધી દેવશયની રહેશે. એટલે 29 જૂન બાદ 25 નવેમ્બરથી જ લગ્ન અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ શકશે. હિંદુ નવવર્ષમાં લગ્ન મુહૂર્તની શરૂઆત એક મેથી થઈ હતી. જે હવે દેવશયની એકાદશી સુધી રહેશે. કાશીના એક જ્યોતિષાચાર્યના કહ્યા પ્રમાણે, મે મહિનામાં લગ્ન અને અન્ય માંગલિક કાર્યોના 11 મુહૂર્ત હતાં. ત્યાર બાદ જૂનમાં ભડલી નોમ સહિત 6 શુભ મુહૂર્ત છે. મહામારીના કારણે મે મહિનામાં જે લોકોના લગ્ન રોકાયા હતા તેઓ 29 જૂને ભડલી નોમના વણજોયાં મુહૂર્તમાં લગ્ન કરી શકે છે. એક જુલાઈએ દેવશયની એકાદશી સાથે ચાતુર્માસ હોવાથી લગભગ 5 મહિના માટે લગ્ન જેવા માંગલિક કામ બંધ થઈ જશે. ત્યાર બાદ મુહૂર્ત 25 નવેમ્બરથી શરૂ થશે. નવેમ્બરમાં માત્ર 2 દિવસ અને ડિસેમ્બરમાં સાત દિવસ જ લગ્નના મુહૂર્ત રહેશે. એક જુલાઈ દેવશયની એકાદશીથી લગ્ન મુહૂર્ત રહેશે નહીં. દેવઉઠની એકાદશી 25 નવેમ્બરથી શરૂ થશે. જુલાઈથી નવેમ્બર સુધી 5 મહિના સુધી લગ્નમાં બ્રેક લાગી જશે. આ વર્ષે નવેમ્બરમાં 26 અને 27 તારીખે જ મુહૂર્ત રહેશે. જ્યારે ડિસેમ્બરમાં માત્ર 1થી 11 સુધી સાત દિવસ જ મુહૂર્ત રહેશે.
જૂનમાં પહેલાં 17, 20 અને હવે 27, 28, 30ના રોજ શુભ મુહૂર્ત છે. તેમાં 29 જૂનનું વિશેષ મુહૂર્ત છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે માર્ચથી અત્યાર સુધી થોડાં લોકો જ દાંપત્ય સૂત્રમાં બંધાયાં.
વધુ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર


















