શોધખોળ કરો

Mahakumbh 2025: મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી

Mahakumbh 2025: મૌની અમાવસ્યા પહેલા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે.

Mahakumbh 2025: મૌની અમાવસ્યા પહેલા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના અવસર પર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે ભક્તોનો પ્રવાહ પ્રયાગરાજમાં આવવાનું શરૂ થઈ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જેમ જેમ અમાવસ્યા નજીક આવી રહી છે તેમ તેમ શહેરમાં યાત્રાળુઓની ભીડ વધી ગઈ છે. મહાકુંભમાં અત્યાર સુધીમાં 14. 76 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.

દેશ-વિદેશમાંથી લોકો સંગમમાં ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ આવી રહ્યા છે. જેના કારણે શહેરના રેલવે સ્ટેશનો, બસ સ્ટોપ અને હાઇવે યાત્રાળુઓથી ભરેલા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવાર અને શનિવારે ત્રિવેણી સંગમમાં 1.25 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૌની અમાવસ્યા પર લગભગ 10 કરોડ ભક્તો સંગમમાં ડૂબકી લગાવે તેવી અપેક્ષા છે.

પ્રયાગરાજ આવતા ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મેળા વહીવટીતંત્ર અને પોલીસે વ્યાપક તૈયારીઓ કરી છે. મહાકુંભમાં વ્યવસ્થા જાળવવા માટે મેળા વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત, ભક્તોની અવરજવરને સરળ બનાવવા માટે તમામ સેક્ટર અને ઝોનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

બધા પાર્કિંગ વિસ્તારો એક્ટિવ કરવામાં આવ્યા છે અને ભક્તો માટે મૂળભૂત સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાહનોને પહેલા નજીકના પાર્કિંગ વિસ્તારોમાં મોકલવામાં આવશે. એકવાર ત્યાં પાર્કિંગ ભરાઈ જાય પછી વાહનોને વૈકલ્પિક પાર્કિંગ વિસ્તારોમાં મોકલવામાં આવશે.

ખાસ પ્રોટોકોલ લાગુ પડશે નહીં

મહાકુંભની તૈયારીઓ વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે 'અમૃત સ્નાન' દરમિયાન જાહેર સુવિધાને પ્રાથમિકતા આપવા માટે કોઈ ખાસ પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે નહીં. વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંકલિત નિયંત્રણ અને આદેશ કેન્દ્રને પણ એક્ટિવ કર્યું છે.

બે હજાર સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે

ભક્તોને સાચી દિશામાં માર્ગદર્શન આપવા માટે મહાકુંભ વિસ્તારમાં બે હજારથી વધુ નવા સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત ભક્તોને મેળાના સત્તાવાર ચેટબોટ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જે તેમની મુલાકાતને વધુ અનુકૂળ બનાવવામાં મદદ કરશે.

Mahakumbh 2025: પ્રયાગરાજને તીર્થરાજ કેમ કહેવામાં આવે છે? મહાકુંભ દરમિયાન અહીં આવવાથી શું થાય છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget