શોધખોળ કરો

Diwali 2022: ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા કરવાથી પૈસા અને અનાજની કોઈ તંગી નથી રહેતી, જાણો ધાર્મિક મહત્વ

ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. પ્રકાશનો તહેવાર દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે.

Diwali 2022 Religious importance of Dhanteras: ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. પ્રકાશનો તહેવાર દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે દિવાળી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા કરવાથી પૈસા અને અનાજની કોઈ તંગી નથી રહેતી અને લક્ષ્મી-ગણેશની મૂર્તિ પણ આ દિવસે ઘરમાં લાવવી જોઈએ.

ધનતેરસ 2022 તારીખ: 23 ઓક્ટોબર, રવિવાર

ધનતેરસના દિવસે સાંજે દીવા પ્રગટાવવાની પ્રથા પણ છે. તેને યમ દીપક કહેવામાં આવે છે, જે યમરાજ માટે પ્રગટાવવામાં આવે છે, જેથી અકાળ મૃત્યુ ટાળી શકાય. ધનવંતરી પણ આ દિવસે પ્રકટ થયા હતા, જેના કારણે આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. તેમજ ધનતેરસના દિવસે ખરીદદારીની પરંપરા હોવાથી આખો દિવસ ખરીદી કરી શકાય છે.

ધનતેરસનું ધાર્મિક મહત્વ

હિન્દુ માન્યતા અનુસાર, ધનતેરસના દિવસે આયુર્વેદના પિતા ભગવાન ધન્વંતરી સમુદ્રમંથનમાંથી પિતળના કળશમાં અમૃત લઇ પ્રગટ થયા હતા. આ અમૃત કળશનું અમૃત પીને દેવતાઓ અમર બની ગયા. તેથી જ ધનતેરસ પર ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે જેથી જીવન અને આરોગ્યની કામના કરી શકાય.


આ દિવસે જૂના વાસણોને બદલીને નવા વાસણો ખરીદવામાં આવે છે. લોકો યથાશકિત ઘર ઉપયોગી નવા વાસણો અને તાંબુ, પિત્તળ, ચાંદીના ઘરેણાં ખરીદે છે. હાલના આધુનિક યુગમાં ધનતેરસના દિવસે વાસણો અને ઘરેણાં ઉપરાંત વાહનો, કોમ્પ્યુટર, મોબાઈલ વગેરેની પણ ખરીદી થઈ રહી છે. જોકે, મોટાભાગના લોકો ધનતેરસ પર સોના કે ચાંદીના સિક્કા ખરીદે છે અથવા પિત્તળ અને ચાંદીના વાસણો ખરીદે છે, કારણ કે તેની ખરીદી શુભ માનવામાં આવે છે.

ધનતેરસ પૂજાનો શ્રેષ્ટ સમય

ધનતેરસના દિવસે ભગવાન ધન્વન્તરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ જરૂર કરવી છે. 

દિવાળી ક્યારે છે?  

હિંદુ કેલેન્ડર મુજબ, દિવાળીનો તહેવાર આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે.  આ  વખતે આ તિથિ તારીખ 24 ઓક્ટોબર 2022 સોમવાર આવી રહી છે. આ દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.

દિવાળીનું મહત્વ

પૌરાણિક માન્યતા અનુસાર દિવાળી એ રોશનીનો તહેવાર છે. આ તહેવાર સુખ, સમૃદ્ધિ અને કીર્તિનું પણ પ્રતિક છે. આ દિવસે લક્ષ્મીજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં લક્ષ્મીની પૂજા કરવાથી ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

લક્ષ્મી પૂજન વિધિ

દિવાળી એ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ દિવસે સ્નાન કર્યા પછી, વ્યક્તિએ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. આ પછી લક્ષ્મીજીની પૂજા શરૂ કરવી જોઈએ. પૂજામાં લક્ષ્મીજીના મંત્ર અને આરતીનો પાઠ કરવો જોઈએ. દિવાળી પર દાનનું વિશેષ મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
Embed widget