![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
શનિવારના દિવસે ક્યારેય ન ખરીદો આ 5 વસ્તુઓ, ફાયદાના બદલે થશે નુકસાન
શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો દ્વારા શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે.
![શનિવારના દિવસે ક્યારેય ન ખરીદો આ 5 વસ્તુઓ, ફાયદાના બદલે થશે નુકસાન Do not buy these things on saturday shani dev will get angry શનિવારના દિવસે ક્યારેય ન ખરીદો આ 5 વસ્તુઓ, ફાયદાના બદલે થશે નુકસાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/649e23d99a1bee677a6089da21d942c5171838872210178_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો દ્વારા શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. જો કે, આ દિવસે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, આ દિવસે શનિદેવની પૂજા કરનારાઓએ ક્યારેય માંસ અથવા આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ, કેટલીક એવી વસ્તુઓ પણ છે જે આ દિવસે ખરીદવી મોંઘી સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિ સંબંધિત વસ્તુઓ ખરીદવાથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. આજે અમે તમને આ લેખમાં આ વસ્તુઓ વિશે માહિતી આપીશું.
શનિવારે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો
લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે, તેથી આ દિવસે ભૂલથી પણ લોખંડ અથવા લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. જો તમે શનિવારે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદો છો, તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આના કારણે તમારી નાણાકીય પરિસ્થિતિ બગડી શકે છે, તેથી ભૂલથી પણ શનિવારે લોખંડ ખરીદવાનું ટાળો.
તમારે શનિવારે મીઠું પણ ન ખરીદવું જોઈએ. જો તમે ઘરમાં મીઠું લાવશો તો પરિવારમાં નકારાત્મકતા ફેલાઈ શકે છે. આ સાથે આ દિવસે બાજુમાં રહેતા કોઈ પાડોશી પાસેથી મીઠું ન માંગવું જોઈએ.
આ દિવસે તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે સોય, કાતર, છરી વગેરે ખરીદીને ઘરે ન લાવવી જોઈએ. આવું કરવાથી તમારા પરિવારનું વાતાવરણ બગડી શકે છે જો તમે શનિવારે આ વસ્તુઓ ખરીદો છો તો પરિવારમાં મતભેદ થઈ શકે છે. આ ઉપરાંત ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. તેથી શનિવારે ભૂલથી પણ ધારદાર વસ્તુઓ ન ખરીદવી.
બુટ અને ચપ્પલની ખરીદી પણ આ દિવસે શુભ માનવામાં આવતી નથી. જો તમે આ દિવસે બુટ અને ચપ્પલ ખરીદો છો, તો તમને સંપત્તિ ભેગી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે આ દિવસે સાવરણી ખરીદવાનું પણ ટાળવું જોઈએ.
કાળો રંગ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે, તેથી તમારે શનિવારના દિવસે ક્યારેય કાળા રંગના કપડા ન ખરીદવા જોઈએ. જો તમે આ દિવસે કાળા રંગના કપડાં ખરીદો છો, તો તમારે ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
શનિવારે શનિદેવની પૂજા દરમિયાન તેમને સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. તેથી, તમારે શનિવારે ક્યારેય સરસવનું તેલ ખરીદવું જોઈએ નહીં. તેલ ખરીદવાથી ન માત્ર શનિદેવ નારાજ થાય છે પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)