શોધખોળ કરો

Shraddh: પૂર્વજોને તૃપ્ત કરવા આ રીતે કરો પિતૃ શ્રાદ્ધ 

Shraddh:  હિંદુ ધર્મમાં પિતૃ પક્ષ જેને  શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે.  આ પર્વને પિતૃઓના આત્માની શાંતિ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

Shraddh:  હિંદુ ધર્મમાં પિતૃ પક્ષ જેને  શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે.  આ પર્વને પિતૃઓના આત્માની શાંતિ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે  ગરૂડ પરાણ અનુસાર શ્રાદ્ધ કર્મ ને સૌથી મોટું પુણ્ય કર્મ  કહ્યું છે માનવામાં આવે છે કે જે મનુષ્ય પોતાના પિતૃઓ તૃપ્ત થાય તે ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે તેના પાપો નાશ પામે છે તેને પિતૃ દેવો ના  આશિર્વાદ મળે છે  જેનાથી સુખ શાંતિ સંતતિ અને સંપત્તિ ની પ્રાપ્તિ થાય છે  તેથી જ  સમગ્ર ભારતમાં પિતૃ પક્ષના આ 16 દિવસોમાં  સદગત પિતૃ ની તિથિ પ્રમાણે શ્રાધ્ધ  કરવામાં આવે છે પિતૃ પક્ષમાં વંશજો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, તર્પણ જેવી શ્રાદ્ધ વિધિ કરવા માં આવે છે 

  શ્રાદ્ધ દરમ્યાન ઘરના સૌ સાથે મળી  શ્રાદ્ધ નું ભોજન બનાવી પિતૃ ઓ ને થાળ અર્પણ કરે છે અને પોતે પ્રસાદ લેવાય છે  આ સાથે   કાગડા ને વાસ અપાય છે  ગાયને ભોજન અપાય છે  બ્રાહ્મણ ને ભોજન કરવાય છે  તેમજ ગરીબોને ભોજન કરાવાય છે  જેના થી પિતૃ દેવો તૃપ્ત થાય છે  બીજી તરફ જો કોઈ ને  કુંડળીમાં પિતૃ દોષ હોય કે કોઈ અન્ય કારણે પિતૃદોષ  ઊભો થયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષનો આ સમય શ્રેષ્ઠ છે. હિંદુ પંચાંગ અનુસાર શ્રાધ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ ભાદરવા સુદ  પુનમથી શરૂ થઇને ભાદરવા વદ અમાસે પૂરો થાય છે. 

આ વખતે પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ) 29 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ રહ્યો છે. શ્રાધ્ધ 16 દિવસ પછી 14 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે. પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસના દિવસે પુર્ણ થાય છે. આને સર્વ પિતૃ અમાવસ્યા કહે છે. જે પૂર્વજોની મૃત્યુ તારીખ આપણે જાણતા નથી છે, તે પૂર્વજો માટે અમાસના દિવસે શ્રાધ્ધ કરવામાં આવે છે. આ વખતે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ રહ્યો છે. શ્રાદ્ધ ના 16 દિવસ પછી 14 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે. 

આ છે શ્રાધ્ધ ની તિથિઓ

શ્રાદ્ધ પિતૃપક્ષની તારીખ
પૂર્ણિમા શ્રાદ્ધ - 29 સપ્ટેમ્બર શુક્રવાર 2023
પ્રતિપદા ( એકમ ) નું શ્રાદ્ધ – 30 સપ્ટેમ્બર શનિવાર 2023
બીજનું શ્રાદ્ધ – 1 ઓક્ટોબર રવિવાર 2023
ત્રીજનું શ્રાદ્ધ – 2 ઓક્ટોબર સોમવાર 2023
ચોથનું શ્રાદ્ધ – 3 ઓક્ટોબર મંગળવાર  2023
પાંચમનું શ્રાદ્ધ – 4 ઓક્ટોબર બુધવાર 2025
છઠ્ઠનું શ્રાદ્ધ – 5 ઓક્ટોબર ગુરૂવાર 2023
સાતમનું શ્રાદ્ધ - 6 ઓક્ટોબર શુક્રવાર 2023
આઠમનું શ્રાદ્ધ- 7 ઓક્ટોબર શનિવાર 2023
નોમનું શ્રાદ્ધ- 8 ઓક્ટોબર રવિવાર 2023
દશમનું શ્રાદ્ધ – 9 ઓક્ટોબર સોમવાર 2023
અગિયારસનું શ્રાદ્ધ – 10  ઓક્ટોબર મંગળવાર 2023
બારસનું શ્રાદ્ધ- 11 ઓક્ટોબર બુધવાર 2023
તેરસનું શ્રાદ્ધ – 12 ઓક્ટોબર  ગુરૂવાર 2023
ચૌદસનું શ્રાદ્ધ- 13 ઓક્ટોબર શુકવાર   2023
અમાવસ્યા નું શ્રાદ્ધ- 14  ઓક્ટોબર શનિવાર  2023

શ્રાદ્ધ કોણ કોનું કરી શકે  તે પણ જાણવું જરૂરી છે 

ધર્મ પ્રમાણે પિતા માટે શ્રાદ્ધ પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઇએ પરંતુ  પુત્ર ન હોય તો પુત્રી  ,પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ કે ભાઈના સંતાનો  પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે. વિષ્ણુપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે તેમ શ્રાદ્ધ કરવા ની પણ ફરજ હોય છે. ગરૂડ પુરાણ  પ્રમાણે જેને  પુત્ર ન હોય તો પુત્રી ઓ કરી શકે અને  તે પણ ના હોય તો ભાઈ-ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દિકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે. જો તેમાંથી કોઇ ન હોય તો કુળ ના  અથવા બ્રાહ્મણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે

માર્કણ્ડેય પુરાણ અનુસાર જો કોઇ વ્યક્તિ ને સંતાન માં  પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની  શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઇ વ્યક્તિ દ્વારા પણ શ્રાદ્ધ કરી શકાય છે. માતા-પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે. પરણિતા દીકરીના પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે. દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે. આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધૂ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે શ્રાધ્ધ પક્ષ માં પિતૃ દેવો ને તૃપ્ત કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે  સદગત પિતૃ દેવો ના આશીર્વાદ થી સંતતિ સમૃદ્ધિ સુખ અને શાંતિ મળે છે.
* જ્યોતિષી ચેતન પટેલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: કાલે દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, IMD નું મોટું એલર્ટ
Weather Alert: કાલે દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, IMD નું મોટું એલર્ટ
Monsoon Update: ગુજરાતમાં ચોમાસા માટે હજુ કેટલી જોવી પડશે રાહ? હવામાન વિભાગની નવી આગાહી
Monsoon Update: ગુજરાતમાં ચોમાસા માટે હજુ કેટલી જોવી પડશે રાહ? હવામાન વિભાગની નવી આગાહી
બુધ ગોચર: કર્કમાં ત્રિગ્રહ યોગ આ 4 રાશિઓ માટે ખોલશે ભાગ્ય અને સંપત્તિના બંધ દ્વાર
બુધ ગોચર: કર્કમાં ત્રિગ્રહ યોગ આ 4 રાશિઓ માટે ખોલશે ભાગ્ય અને સંપત્તિના બંધ દ્વાર
MI અને RR વચ્ચે મોટી ટ્રેડિંગની ચર્ચા: હાર્દિક પંડ્યાની રાજસ્થાનમાં એન્ટ્રી? MI ને મળશે નવો કેપ્ટન!
MI અને RR વચ્ચે મોટી ટ્રેડિંગની ચર્ચા: હાર્દિક પંડ્યાની રાજસ્થાનમાં એન્ટ્રી? MI ને મળશે નવો કેપ્ટન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાજીનું બુટલેગર કનેક્શન
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારી કે પૈસાનો પાવર?
Surat Water Logging: સુરતના બારડોલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની ખુલી પોલ
Gondal news: ગોંડલની જામવાડી GIDCમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી
Devarishi Narad Awards 2026: મીડિયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ABP અસ્મિતાના રોનક પટેલ સન્માનિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: કાલે દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, IMD નું મોટું એલર્ટ
Weather Alert: કાલે દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, IMD નું મોટું એલર્ટ
Monsoon Update: ગુજરાતમાં ચોમાસા માટે હજુ કેટલી જોવી પડશે રાહ? હવામાન વિભાગની નવી આગાહી
Monsoon Update: ગુજરાતમાં ચોમાસા માટે હજુ કેટલી જોવી પડશે રાહ? હવામાન વિભાગની નવી આગાહી
બુધ ગોચર: કર્કમાં ત્રિગ્રહ યોગ આ 4 રાશિઓ માટે ખોલશે ભાગ્ય અને સંપત્તિના બંધ દ્વાર
બુધ ગોચર: કર્કમાં ત્રિગ્રહ યોગ આ 4 રાશિઓ માટે ખોલશે ભાગ્ય અને સંપત્તિના બંધ દ્વાર
MI અને RR વચ્ચે મોટી ટ્રેડિંગની ચર્ચા: હાર્દિક પંડ્યાની રાજસ્થાનમાં એન્ટ્રી? MI ને મળશે નવો કેપ્ટન!
MI અને RR વચ્ચે મોટી ટ્રેડિંગની ચર્ચા: હાર્દિક પંડ્યાની રાજસ્થાનમાં એન્ટ્રી? MI ને મળશે નવો કેપ્ટન!
શું નીતિશ કુમાર ફરી પલટી મારશે? ભરત તિવારી એન્કાઉન્ટર વચ્ચે આરજેડીએ શેર કર્યો વીડિયો
શું નીતિશ કુમાર ફરી પલટી મારશે? ભરત તિવારી એન્કાઉન્ટર વચ્ચે આરજેડીએ શેર કર્યો વીડિયો
ચોમાસામાં વિલંબ વચ્ચે ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય, સિંચાઈ માટે 10 કલાક વીજળી અને સૌરાષ્ટ્રના તમામ ડેમમાં....
ચોમાસામાં વિલંબ વચ્ચે ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય, સિંચાઈ માટે 10 કલાક વીજળી અને સૌરાષ્ટ્રના તમામ ડેમમાં....
કાળાડિબાંગ વાદળો વચ્ચે આ વિસ્તારોમાં શરૂ થયો વરસાદ, પ્રિ-મોનસૂન કામગીરીની તંત્રની ખુલી પોલ
કાળાડિબાંગ વાદળો વચ્ચે આ વિસ્તારોમાં શરૂ થયો વરસાદ, પ્રિ-મોનસૂન કામગીરીની તંત્રની ખુલી પોલ
LPG ગેસના નવા નિયમો: આજે જ પતાવી લો આ જરૂરી કામ, નહીંતર કાલથી ગેસ સપ્લાય બંધ થશે
LPG ગેસના નવા નિયમો: આજે જ પતાવી લો આ જરૂરી કામ, નહીંતર કાલથી ગેસ સપ્લાય બંધ થશે
Embed widget