શોધખોળ કરો

Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો

વિજયાદશમી અથવા દશેરા એ દુર્ગા પૂજાનો 10મો અને છેલ્લો દિવસ છે. આ વર્ષે 12મી ઓક્ટોબર એટલે કે આવતીકાલે છે. તમને જણાવી દઈએ કે આખા ભારતમાં આ શુભ દિવસને લઈને ઘણી માન્યતાઓ છે.

Vijayadashmi 2024 : વિજયાદશમી અથવા દશેરા એ દુર્ગા પૂજાનો 10મો અને છેલ્લો દિવસ છે. આ વર્ષે 12મી ઓક્ટોબર એટલે કે આવતીકાલે છે. તમને જણાવી દઈએ કે આખા ભારતમાં આ શુભ દિવસને લઈને ઘણી માન્યતાઓ છે. જેમાં સૌથી વધુ લોકપ્રિય છે કે દશેરાના દિવસે મર્યાદા પુરુષોત્તમ રામે દસ માથાવાળા રાવણનો વધ કર્યો હતો. તેથી દશેરાના દિવસે રાવણનું વિશાળ પૂતળું બાળવામાં આવે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ કે આ વર્ષે દશેરા પૂજન, રાવણ દહન અને શસ્ત્ર પૂજન માટે કયો શુભ સમય છે.

રામાયણ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના રોજ ભગવાન રામે રાક્ષસ રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો, આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે, તેથી દર વર્ષે વિજયાદશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.

દશેરા મુહૂર્ત 

આ વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 12 ઓક્ટોબરે સવારે 10.58 વાગ્યે શરૂ થશે અને 13 ઓક્ટોબર 2024ના રોજ સવારે 09.08 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર 12 ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

શસ્ત્ર પૂજન મુહૂર્ત 

દશેરાના દિવસે વિજય મુહૂર્તમાં શસ્ત્ર પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ વર્ષે દશેરા પૂજાનો શુભ સમય બપોરે 2:02 વાગ્યાથી શરૂ થશે, જે બપોરે 2:48 વાગ્યે સમાપ્ત થશે.

પૂજા વિધિ - 

1- દશેરાના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કરો અને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો.

2- ત્યારબાદ ઘઉં અથવા ચૂનામાંથી દશેરાની મૂર્તિ બનાવો.

3- ગાયના છાણમાંથી 9 બોલ અને 2 વાટકા બનાવો, એક વાટકીમાં સિક્કા રાખો અને બીજા વાટકામાં રોલી, ચોખા, જવ અને ફળો.

4- આ પછી મૂર્તિને કેળા, જવ, ગોળ અને મૂળા અર્પણ કરો.

5- આ દિવસે દાન કરો અને ગરીબોને ભોજન કરાવો.

6- પૂજા પૂરી થયા પછી વડીલોના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ લો.

દશેરા પર નીલકંઠ પક્ષી વિશે શું છે માન્યતા ?

એવી માન્યતા છે કે દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. વાસ્તવમાં નીલકંઠ પક્ષીને ભગવાનનું પ્રતિનિધિ માનવામાં આવે છે.  

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.  

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હેવાન શિક્ષકોને કોણ ભણાવશે પાઠ?Hun To Bolish | હું તો બોલીશ | આ ફાફડા જલેબી ખાશો તો બીમાર પડવાનું નક્કી!Vadodara Crime | વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મથી ખળભળાટ, આરોપી જેલભેગોAmreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
IND vs BAN, 3rd T20I: બેટ્સમેન કે બોલરો, હૈદરાબાદમાં કોને મળશે સફળતા,  જાણો પિચ રિપોર્ટ 
IND vs BAN, 3rd T20I: બેટ્સમેન કે બોલર, હૈદરાબાદમાં કોને મળશે સફળતા,  જાણો પિચ રિપોર્ટ 
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
Embed widget