Guru Purnima 2024 Date: કેમ ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાનું પર્વ ? જાણો તેનુ મહત્વ
ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે.
![Guru Purnima 2024 Date: કેમ ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાનું પર્વ ? જાણો તેનુ મહત્વ Guru purnima 2024 date why is the festival of guru purnima celebrated know its importance Guru Purnima 2024 Date: કેમ ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાનું પર્વ ? જાણો તેનુ મહત્વ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/3e8a186c04fc3ecb0ef4e78519ca5c3e172120860330377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી ગુરુ-શિષ્ય પરંપરા પ્રચલિત છે. ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે અને આ ગુરુ-શિષ્યના સંબંધનું મહત્વ સમજવા માટે દર વર્ષે અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈ, 2024, રવિવારના રોજ ઉજવવામાં આવશે.
ગુરુ પૂર્ણિમાનું મહત્વ
ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો તેમના શિક્ષકોનું સન્માન કરે છે અને તેમને ગુરુ દક્ષિણા આપે છે. ગુરુ અને શિષ્ય બંને માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે દરેક શિષ્યએ તેમના ગુરુ અથવા ગુરુ જેવા વરિષ્ઠ લોકોનો આદર આપીને કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની સાથે વ્રત દાન અને ગુરુ વેદ-વ્યાસની પૂજા કરવી જોઈએ. સનાતન ધર્મ માને છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જે આખો દિવસ ઉપવાસ કરે છે અને દાન-પુણ્ય કરે છે તેને જીવનમાં અખંડ જ્ઞાન મળે છે અને જીવનના અંતિમ તબક્કા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, એવું માનવામાં આવે છે કે આ યોગમાં ગુરુની પૂજા કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, અને જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.
ગુરુ પૂર્ણિમા
મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ માસની પૂર્ણિમાના દિવસે થયો હતો. બાળપણમાં એક વખત વેદ વ્યાસે તેમના માતા-પિતાને ભગવાનના દર્શન કરવા માટે પ્રાર્થના કરી હતી, પરંતુ માતા સત્યવતીએ તેમની ઈચ્છા પૂરી કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે વેદ વ્યાસ જિદ્દી બન્યા ત્યારે તેમની માતાએ તેમને જંગલમાં જઈને તપસ્યા કરવાનું સૂચન કર્યું. જંગલમાં જતા સમયે માતાએ કહ્યું, જો તમને ઘરની યાદ આવે તો પરત પાછા આવજો. વેદ વ્યાસ જંગલ તરફ પ્રયાણ કર્યું. જંગલમાં કઠોર તપસ્યાને કારણે વેદ વ્યાસજીએ સંસ્કૃત ભાષાનું ઊંડું જ્ઞાન મેળવ્યું. તપસ્યા કરતી વખતે તેમણે ચાર વેદોનો વિસ્તાર કર્યો. તે પછી ચાર વેદોને અઢાર પુરાણોમાં પરિવર્તિત કરીને મહાભારત અને બ્રહ્મસૂત્રની રચના કરવામાં આવી. આ સાથે તેઓ મહર્ષિ વેદ વ્યાસના નામથી પ્રચલિત થયા. અહીંથી તેઓ ગુરુ બન્યા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)