શોધખોળ કરો

Mrityu Panchak 2024: વર્ષ 2024નું પ્રથમ મડા પંચક ક્યારથી થશે શરૂ? ભૂલથી પણ ન કરો આ કામ

Mrityu Panchak 2024: શાસ્ત્રોમાં મડા પંચકને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે, આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ, નહીં તો વ્યક્તિએ લાંબા સમય સુધી તેના ખરાબ પરિણામો ભોગવવા પડે છે.

Mrityu Panchak 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિંદુ કેલેન્ડરમાં દરેક મહિનામાં 5 દિવસ અશુભ માનવામાં આવે છે. આ પંચક તરીકે ઓળખાય છે. જે દિવસે પંચક શરૂ થાય છે, તેની અસર પણ એટલી જ ક્રૂર હોય છે. જેમ કે મડા પંચક, તેને મૃત્યુ પંચક તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2024ના પ્રથમ મહિના જાન્યુઆરીમાં પંચક લાગી રહ્યું છે.

શાસ્ત્રોમાં મડા પંચકને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે, આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ, નહીં તો વ્યક્તિએ લાંબા સમય સુધી તેના ખરાબ પરિણામો ભોગવવા પડે છે. જાણો જાન્યુઆરી 2024માં મૃત્યુ પંચક ક્યારે છે અને આ સમયગાળા દરમિયાન કયા કાર્યો પર પ્રતિબંધ છે.

જાન્યુઆરી 2024 માં મૃત્યુ પંચક ક્યારે છે?

મૃત્યુ પંચક શનિવાર, 13 જાન્યુઆરી, 2024 ના રોજ રાત્રે 11:35 વાગ્યે શરૂ થશે. તે 18 જાન્યુઆરી, 2024 ના રોજ સવારે 03:33 વાગ્યે સમાપ્ત થશે. શનિવારથી શરૂ થતા પંચકને મડા પંચક (મૃત્યુ પંચક) તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2024નું આ પહેલું પંચક હશે.

પંચક એટલે શું?

જ્યારે ચંદ્ર ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્રમાં ફરે છે ત્યારે તેને પંચક કહેવાય છે. આ બધા નક્ષત્રોને પાર કરવામાં ચંદ્રને લગભગ 5 દિવસ લાગે છે અને દર 27 દિવસ પછી પંચક આવે છે.

મૃત્યુ પંચકમાં આ વાતનું વિશેષ ધ્યાન રાખો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો પંચક કાળમાં કોઈનું મૃત્યુ થાય છે તો તેને અશુભ માનવામાં આવે છે કારણ કે પરિવારમાં પાંચ લોકોના મૃત્યુની સંભાવના હોય છે. મૃત્યુ પંચક કાળમાં કોઈનું મૃત્યુ થાય તો તેના મૃતદેહના અગ્નિસંસ્કારની સાથે કુશના પાંચ પૂતળા બનાવવાનો અને વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવાનો નિયમ છે, જેથી પંચકના અશુભ પરિણામોથી બચી શકાય.

મૃત્યુ પંચકમાં શું ન કરવું

તેના નામ પ્રમાણે આ પંચક મૃત્યુની જેમ કષ્ટદાયક છે. આ પાંચ દિવસોમાં કોઈ પણ પ્રકારનું જોખમ ભરેલું કામ ન કરવું જોઈએ.તેના પ્રભાવથી વિવાદ, ઈજા, અકસ્માત વગેરેનું જોખમ રહેલું છે. પંચકના સમયે લાકડા ખરીદવા, ઘર પર છત બાંધવી, મૃતદેહને બાળવા, પથારી બાંધવી અને દક્ષિણ દિશાની યાત્રાએ જવાની મનાઈ છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Garuda Purana: શું તમે પણ કર્યા છે આ 5 કર્મ, જાણી લો નરકમાં કેવી હશે તમારી સજા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget