શોધખોળ કરો

Chaitra Navratri 2025: નવરાત્રિમાં માં દુર્ગાને આ એક ચીજ અચૂક કરજો અર્પણ, થશે ચમત્કારિક લાભ

Chaitra Navratri 2025: નવરાત્રિમાં માં દુર્ગાને લવિંગ ચઢાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ધન અને આરોગ્યમાં સાથે સઘળી મનોકામનાઓની પૂર્તિ થાય છે.

Chaitra Navratri 2025: હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવીને પ્રસન્ન કરવા માટે ભક્તો અનેક ઉપાયો અપનાવે છે. તેમાંથી એક ઉપાય છે દેવી દુર્ગાને લવિંગ અર્પણ કરવો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૂજામાં લવિંગ ચઢાવવું આટલું મહત્વનું કેમ છે? આના ફાયદા શું છે? ચાલો જાણીએ તેની પાછળની ધાર્મિક માન્યતાઓ અને લાભ.

લવિંગનું ધાર્મિક મહત્વઃ હિન્દુ ધર્મમાં લવિંગને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તેનો વિશેષ ઉપયોગ પૂજા અને હવનમાં થાય છે. તેની સુગંધ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાની કૃપા મેળવવા માટે લવિંગ ચઢાવવાથી ખૂબ જ લાભ થાય છે.

લવિંગ ચઢાવવાના ફાયદા:

નકારાત્મક ઉર્જાનો નાશ - લવિંગની તીખી સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને દુષ્ટ શક્તિઓને દૂર કરે છે.

ધનની પ્રાપ્તિ - મા દુર્ગાને લવિંગ અર્પણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને સમૃદ્ધિ આવે છે.

રોગોથી મુક્તિ - લવિંગમાં ઔષધીય ગુણ હોય છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે તેને ચઢાવવાથી રોગો દૂર થાય છે.

મનોકામનાઓ પૂર્ણ થાય છે – માતાજીને  લવિંગ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.

રક્ષણ – લવિંગ  નજર દોષથી રક્ષણ કરે છે  અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે.

લવિંગ ચઢાવવાની રીત:

થોડા લવિંગને લાલ કપડામાં લપેટી લો.

આ લાલ કપડાને દેવી દુર્ગાના ચરણોમાં મૂકો.

તમે લવિંગને ઘીમાં શેકીને પણ અર્પણ કરી શકો છો.

લવિંગ અર્પણ કરતી વખતે, તમારા મનમાં દેવી દુર્ગાનું ધ્યાન કરો.

ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે લવિંગના ઉપાયઃ

ધન પ્રાપ્તિ માટે - લાલ કપડામાં 2 લવિંગ, 5 એલચી અને 5 સોપારી બાંધીને મા દુર્ગાને અર્પણ કરો.

નોકરી અને પ્રમોશન માટે – નોરતાના નવ દિવસ, તમારા માથા પર લવિંગની જોડી 7 વાર ફેરવો અને તેને મા દુર્ગાના ચરણોમાં અર્પણ કરો.

રાહુ-કેતુના અશુભ પ્રભાવથી બચવા- દરરોજ શિવલિંગ પર લવિંગની જોડી અર્પણ કરો.

નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે - દરરોજ ઘરમાં લવિંગ અને કપૂર સળગાવો અને તેનો ધૂપ આખા ઘરમાં ફેલાવો.

નવરાત્રિ દરમિયાન લવિંગ અર્પણ કરવું એ દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાનો એક સરળ અને અસરકારક માર્ગ છે. તે માત્ર આધ્યાત્મિક રીતે જ ફાયદાકારક નથી, પરંતુ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ લાવે છે. આ નવરાત્રિમાં મા દુર્ગાને લવિંગ અર્પણ કરો અને તેમના આશીર્વાદથી તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન મેળવો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Embed widget