શોધખોળ કરો

Ram Mandir Pran Pratishtha: ‘51 ઈંચ ઉંચી, 1.5 ટન વજન, બાળક જેવી નિર્દોષતા...’, જાણો રામલલાની મૂર્તિ અંગેની તમામ વિગત

Ramlala Pran Pratishtha: ચંપત રાયે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામની મૂર્તિની લંબાઈ અને તેની સ્થાપનાની ઊંચાઈ ભારતના જાણીતા અવકાશ વૈજ્ઞાનિકોની સલાહ પર એવી રીતે તૈયાર કરવામાં આવી છે.

Ram Lala Idol at Ram Temple: અયોધ્યાના રામ મંદિરના 22 જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશમાં ઉત્સાહનો માહોલ છે. રામમંદિરમાં સ્થાપિત થનારી ભગવાન રામની મૂર્તિ 51 ઈંચ ઉંચી, 1.5 ટન વજન અને બાળક જેવી નિર્દોષતા ધરાવે છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે દર વર્ષે રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો મૂર્તિના કપાળને પ્રકાશિત કરશે. 16 જાન્યુઆરીથી મૂર્તિની પૂજા શરૂ થશે અને 18 જાન્યુઆરીએ તેને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે મૂર્તિ પર પાણી, દૂધ અને આચમનની કોઈ વિપરીત અસર નહીં થાય. ચંપત રાયે કહ્યું કે ત્રણ શિલ્પકારોએ ભગવાન શ્રી રામની અલગ-અલગ મૂર્તિ બનાવી, જેમાંથી એક મૂર્તિ પસંદ કરવામાં આવી. જેનું વજન 1.5 ટન અને પગથી કપાળ સુધીની લંબાઈ 51 ઈંચ છે.

જાણીતા અવકાશ વૈજ્ઞાનિકોની સલાહ પર તૈયાર કરવામાં આવી છે મૂર્તિ

ચંપત રાયે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામની મૂર્તિની લંબાઈ અને તેની સ્થાપનાની ઊંચાઈ ભારતના જાણીતા અવકાશ વૈજ્ઞાનિકોની સલાહ પર એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે રામ નવમી સ્વયં ભગવાન સૂર્ય દ્વારા ઉજવવામાં આવે છે. શ્રી રામનો અભિષેક કરશે કારણ કે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો સીધા તેમના કપાળ પર પડશે જેનાથી તે ચમકશે. મૂર્તિની સૌમ્યતાનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘાટા રંગના પથ્થરમાંથી બનેલી આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુની દિવ્યતા અને રાજવી પુત્રની ચમક તો છે જ, પરંતુ પાંચ વર્ષના બાળકની માસૂમિયત પણ છે.

કેવી રીતે મૂર્તિની કરવામાં આવી પસંદગી

તેમણે કહ્યું કે આ મૂર્તિની પસંદગી ચહેરાની કોમળતા, આંખોની ઝલક, સ્મિત, શરીર વગેરેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. 51 ઇંચની ઉંચી મૂર્તિનું માથું, મુગટ અને આભા પણ ઝીણવટથી બનાવવામાં આવી છે. ચંપત રાયના જણાવ્યા અનુસાર 16 જાન્યુઆરીથી મૂર્તિના અભિષેકની વિધિ શરૂ થશે. આ સિવાય 18 જાન્યુઆરીએ ભગવાન રામને ગર્ભગૃહમાં સિંહાસન પર બિરાજમાન કરવામાં આવશે. માત્ર 5 વર્ષની ઉંમરની ભગવાન રામની આ મૂર્તિ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકવામાં આવશે અને 22 જાન્યુઆરીએ તેનું અનાવરણ કરવામાં આવશે. ભગવાન રામના ભાઈઓ, સીતા અને હનુમાનની મૂર્તિઓ પહેલા માળે મૂકવામાં આવશે. આ મંદિર આઠ મહિના પછી તૈયાર થશે.

ઉત્તર ભારતમાં છેલ્લા 300 વર્ષમાં આવું કોઈ મંદિર બન્યું નથી

ચંપત રાયે કહ્યું કે રામ મંદિર પરિસરમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદ રાજ, માતા શબરી અને દેવી અહિલ્યાના મંદિરો પણ બનાવવામાં આવશે. આ સિવાય અહીં પહેલા જ જટાયુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ચંપત રાયે કહ્યું કે મંદિરનું સ્થાપત્ય દક્ષિણ ભારતના મંદિરોથી પ્રેરિત છે. કન્સ્ટ્રક્શન એન્જિનિયરોના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં છેલ્લા 300 વર્ષમાં આવું કોઈ મંદિર બન્યું નથી. તેમણે વધુમાં સમજાવ્યું કે પથ્થરની ઉંમર 1,000 વર્ષ હોવા છતાં, સૂર્યપ્રકાશ, પવન અને પાણી તેને અસર કરી શકશે નહીં કારણ કે ભેજનું શોષણ અટકાવવા માટે નીચે ગ્રેનાઈટ સ્થાપિત કરવામાં આવી છે.

ચંપત રાયે કહ્યું કે રામલલાની મૂર્તિમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કારણ કે તે મૂર્તિને નબળી બનાવે છે. તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેમ જેમ સમય વધતો જશે તેમ જમીનની નીચે એક ખૂબ જ મજબૂત ખડક બનશે. જમીન ઉપર કોઈપણ પ્રકારના કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, કારણ કે કોંક્રીટની ઉંમર 150 વર્ષથી વધુ નથી. દરેક કામ કરતી વખતે ઉંમરને ધ્યાનમાં રાખવામાં આવી છે.

શ્રદ્ધાળુઓને 26 જાન્યુઆરી પછી આવવા વિનંતી

ચપંત રાયે કહ્યું 22 જાન્યુઆરીનો દિવસ તેમના માટે અંગત રીતે સ્વતંત્રતા દિવસ જેટલો જ મહત્વનો છે. તેમણએ 22 જાન્યુઆરીના દિવસે દેશભરના 5 લાખ મંદિરોમાં ભવ્ય પૂજા કરવાની અપીલ કરીને કહ્યું, દરેક સનાતનીએ આ દિવસે તેના ઘરે 5 દીવા પ્રગટાવવા જોઈએ. તેમણે શ્રદ્ધાળુઓને 26 જાન્યુઆરી પછી રામલલાના દર્શન કરવા આવવાની વિનંતી કરી કહ્યું, મંદિરના દ્વારા મધરાત સુધી ખુલ્લા રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત, જાણો અહીં  
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત, જાણો અહીં  
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક?
Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક?
RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય
RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય
Iran-US Ceasefire: 'હું શાહબાઝ શરીફ અને આસીમ મુનીરનો આભાર...', બે અઠવાડિયાના સીઝફાયર પર શું બોલ્યા ઈરાની વિદેશમંત્રી
Iran-US Ceasefire: 'હું શાહબાઝ શરીફ અને આસીમ મુનીરનો આભાર...', બે અઠવાડિયાના સીઝફાયર પર શું બોલ્યા ઈરાની વિદેશમંત્રી
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
Embed widget