શોધખોળ કરો

Mahakumbh 2025: ચમત્કારોથી ભરેલું છે પ્રયાગરાજનું આ મંદિર, તેના દર્શન કર્યા બાદ જ મળે છે મહાકુંભ સ્નાનનું સંપૂર્ણ ફળ

Mahakumbh 2025: મહાકુંભ મેળો પ્રયાગરાજમાં યોજાવાનો છે અને તેમાં હિન્દુ ધર્મના ઘણા મોટા મંદિરો આવેલા છે. આજે અમે તમને આ મંદિરોમાંથી એક વિશે માહિતી આપીશું. એવું માનવામાં આવે છે કે મહા કુંભમાં સ્નાન કર્યા પછી આ મંદિરમાં જવાથી જ તમને કુંભનું પૂર્ણ ફળ મળે છે.

Mahakumbh 2025: 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. નાગા સાધુઓના અખાડા ધીમે ધીમે પ્રયાગરાજના સંગમ સ્થાને પહોંચી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ડૂબકી મારવા માટે પ્રયાગરાજ પણ પહોંચશે. મહાકુંભ દરમિયાન, પવિત્ર સ્નાનની સાથે, ભક્તો અહીં સ્થિત મંદિરોની પણ મુલાકાત લે છે. આ ઉપરાંત, પ્રયાગરાજમાં એક મંદિર પણ છે, જેના વિશે એવું માનવામાં આવે છે કે ભક્તો જ્યારે આ મંદિરમાં જાય છે ત્યારે જ તેમને સંગમમાં ડૂબકી મારવાનું ફળ મળે છે. આવો જાણીએ પ્રયાગરાજના આ મંદિર વિશે.

પ્રયાગરાજનું ચમત્કારિક મંદિર

આજે અમે તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ નાગવસુકી મંદિર છે. એવું માનવામાં આવે છે કે વાસુકી નાગાએ બ્રહ્માંડની રચના અને સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત આ મંદિરને સાપની કુંડલિની શક્તિનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ મંદિરમાં પૂજા કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત કરે છે. અહીં પૂજા કરવાથી કાલસર્પ દોષમાંથી પણ મુક્તિ મળે છે.

સમુદ્ર મંથનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

સમુદ્રમંથન દરમિયાન સર્પરાજ નાગવાસુકીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. દેવતાઓ અને દાનવોએ દોરડાના રૂપમાં વાસુકીનાગનો ઉપયોગ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે જ્યારે નાગવાસુકી સમુદ્રનંથન દરમિયાન ઘાયલ થયા હતા, ત્યારે તેમણે પ્રયાગરાજના ત્રિવેશ સંગમમાં સ્નાન કરીને જ ઘાવની પીડામાંથી રાહત મેળવી હતી. પછી અહીં જ વાસુકી નાગએ આરામ કર્યો. બાદમાં, દેવતાઓની વિનંતી પર, વાસુકી નાગે અહીં નિવાસ કરવાનું નક્કી કર્યું.

એટલા માટે મહા કુંભ સ્નાન પછી દર્શન જરૂરી છે

જ્યારે દેવતાઓના કહેવાથી વાસુકી અહીં રોકાયા તો તેઓએ તેના માટે એક શરત પણ મૂકી. તેમણે કહ્યું કે સંગમમાં સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓએ દર્શન કરવા ફરજિયાત રહેશે. તેથી, એવું માનવામાં આવે છે કે મહાકુંભ દરમિયાન પણ, સ્નાન કર્યા પછી, વ્યક્તિએ નાગવાસુકીના દર્શન કરવા જરુરી છે, તે પછી જ પવિત્ર સ્નાનનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

નાગવાસુકી મંદિરમાં વાસુકીજીની ભવ્ય મૂર્તિ આવેલી છે. ગંગા નદીના કિનારે આવેલું આ મંદિર આધ્યાત્મિકતાનું પણ મુખ્ય કેન્દ્ર છે. કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે અહીં પૂજા પણ કરવામાં આવે છે. મહાકુંભની સાથે, નાગ પંચમી, શ્રાવણ વગેરે જેવા મુખ્ય પ્રસંગોએ અહીં ભક્તોનો સતત પ્રવાહ રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાપી, અમરેલી અને લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર, ટેમ્પો અને કારનો કહેર, 8 ના મોત, અનેક ઘાયલ
વાપી, અમરેલી અને લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર, ટેમ્પો અને કારનો કહેર, 8 ના મોત, અનેક ઘાયલ
IND vs PAK મેચ બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી પોઈન્ટ ટેબલમાં ટોચ પર, પાકિસ્તાન બહાર!
IND vs PAK મેચ બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી પોઈન્ટ ટેબલમાં ટોચ પર, પાકિસ્તાન બહાર!
ભારત સામે કારમી હાર માટે પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને આ કારણો ગણાવ્યા, જાણો ક્યા ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા
ભારત સામે કારમી હાર માટે પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને આ કારણો ગણાવ્યા, જાણો ક્યા ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા
INDvsPAK: વિરાટ કોહલીની અણનમ સદી, પાકિસ્તાનને મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું
INDvsPAK: વિરાટ કોહલીની અણનમ સદી, પાકિસ્તાનને મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતા પુત્રનું બધું માફ?Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓને ટેકો કોનો?Rajkot Hospital CCTV Leak: હોસ્પિટલ CCTV કાંડમાં સાયબર ક્રાઈમનો સૌથી મોટો ખુલાસોLimbdi Accident News : લીંબડી નજીક ગમખ્વાર અકસ્માત, 5ના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાપી, અમરેલી અને લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર, ટેમ્પો અને કારનો કહેર, 8 ના મોત, અનેક ઘાયલ
વાપી, અમરેલી અને લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર, ટેમ્પો અને કારનો કહેર, 8 ના મોત, અનેક ઘાયલ
IND vs PAK મેચ બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી પોઈન્ટ ટેબલમાં ટોચ પર, પાકિસ્તાન બહાર!
IND vs PAK મેચ બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી પોઈન્ટ ટેબલમાં ટોચ પર, પાકિસ્તાન બહાર!
ભારત સામે કારમી હાર માટે પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને આ કારણો ગણાવ્યા, જાણો ક્યા ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા
ભારત સામે કારમી હાર માટે પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને આ કારણો ગણાવ્યા, જાણો ક્યા ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા
INDvsPAK: વિરાટ કોહલીની અણનમ સદી, પાકિસ્તાનને મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું
INDvsPAK: વિરાટ કોહલીની અણનમ સદી, પાકિસ્તાનને મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું
IND vs PAK: દુબઈમાં ભારતે પાકિસ્તાનને ધોબીપછાડ, ૮ વર્ષ જૂનો હિસાબ ચૂકતે; વિરાટની ઐતિહાસિક સદી
IND vs PAK: દુબઈમાં ભારતે પાકિસ્તાનને ધોબીપછાડ, ૮ વર્ષ જૂનો હિસાબ ચૂકતે; વિરાટની ઐતિહાસિક સદી
virat kohli 51st century: કિંગ કોહલીની 51 મી વનડે સદી... 15 મહિના બાદ વિરાટ સદી ફટકારી
virat kohli 51st century: કિંગ કોહલીની 51 મી વનડે સદી... 15 મહિના બાદ વિરાટ સદી ફટકારી
Champions trophy 2025: કિંગ કોહલીએ વિશ્વ ક્રિકેટમાં ઈતિહાસ રચી નાખ્યો, આ મોટો રેકોર્ડ બનાવી સચિનની યાદીમાં સામેલ
Champions trophy 2025: કિંગ કોહલીએ વિશ્વ ક્રિકેટમાં ઈતિહાસ રચી નાખ્યો, આ મોટો રેકોર્ડ બનાવી સચિનની યાદીમાં સામેલ
INDvsPAK: રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઓપનિંગ બેટ્સમેન તરીકે બનાવ્યો આ મોટો રેકોર્ડ 
INDvsPAK: રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઓપનિંગ બેટ્સમેન તરીકે બનાવ્યો આ મોટો રેકોર્ડ 
Embed widget