શોધખોળ કરો

Shanivaar upay:શનિવારે કરો આ કામ, શનિદેવ સાથે હનુમાનજીની પણ કૃપા રહેશે

શનિવારનો દિવસ ભગવાન શનિને સમર્પિત છે. આ દિવસે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે.

શનિવારનો દિવસ ભગવાન શનિને સમર્પિત છે. આ દિવસે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે. એવું કહેવાય છે કે, જેના પર શનિદેવ પ્રસન્ન થાય છે, તેના કોઈપણ કામમાં ક્યારેય વિધ્ન આવતું  નથી.  શનિવારે હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવારે કોઈ ખાસ પૂજા કરવાથી શનિદેવ તેમજ પવનપુત્ર હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.  દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. 

આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ શનિ મંદિરમાં જઈ શનિદેવની પૂજા કરવી જોઈએ અને તાંબાના વાસણમાં ચંદન મૂકીને જળ અર્પણ કરવું જોઈએ.

પવનપુત્ર હનુમાનજીને શનિવારે ગોળ, ચણા અને કેળા અર્પણ કરવા જોઈએ. સાથે જ હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવા જોઈએ. એવું કહેવાય છે કે, આમ કરવાથી ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને શનિદેવને આકડાના ફૂલ ચઢાવવા જોઈએ. આ ફૂલ શનિદેવને ખુબ જ પ્રિય છે. ફૂલ અર્પણ કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયામાંથી મુક્તિ મળે છે.

લાંબા સમયથી કોઈ કામ કરી રહ્યા છો અને તેમાં વારંવાર કોઈ અડચણો આવી રહી છે તો તમારે દર શનિવારે સાંજે હનુમાન મંદિરે જઈને બજરંગબલીને ચમેલીના તેલ અને સિંદૂરનો અભિષેક કરવો જોઈએ. 

શનિવારે સાંજે કોઈ તળાવ અથવા એવી જગ્યાએ જ્યાં માછલી હોય ત્યાં અનાજ મુકો. કીડીઓને પણ લોટ ખવડાવો. કહેવાય છે કે આ ઉપાયથી શનિદેવની સાથે ભગવાન હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. અને નસીબ ખુલે છે. આનો ફાયદો એ થશે કે જો તમારા પર કોઈ દેવું છે અથવા નોકરીને લગતી કોઈ સમસ્યા છે, તો તે જલ્દી જ દૂર થઈ જશે.

તમારે શનિવારે શનિદેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. પરંતુ તેની સાથે હનુમાનજીની મૂર્તિની સામે તેલનો દીવો પ્રગટાવો. એટલું જ નહીં, આ દિવસે કાળી વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાળા તલ, ચણા અને કાળા કપડાનું દાન કરી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Embed widget