શોધખોળ કરો

Shravan 2021: શ્રાવણ મહિનાના સોમવારનું શું છે મહત્વ ? જાણો કેવી રીતે કરજો પૂજા

ભગવાન શંકરને ખૂબ જ પ્રિય અને તપ-જપ-ઉત્સવના પર્વ પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. ૬ સપ્ટેમ્બરે શ્રાવણી-અમાસ છે ત્યાં સુધી શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે.

ભગવાન શંકરને ખૂબ જ પ્રિય અને તપ-જપ-ઉત્સવના પર્વ પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. ૬ સપ્ટેમ્બરે શ્રાવણી-અમાસ છે ત્યાં સુધી શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. યોગાનુયોગ આ વખતે શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ અને સોમવારે જ પૂર્ણાહૂતિ થશે. શ્રાવણ માસમાં ૨૨ ઓગસ્ટે રવિવાર અને ૩૦ ઓગસ્ટે જન્માષ્ટમી જેવા તહેવારોની હેલી પણ સર્જાશે.

શ્રાવણ માસમાં કઈ કઈ તારીખે આવે છે સોમવાર

  • 9 ઓગસ્ટ, 2021
  • 16 ઓગસ્ટ, 2021
  • 23 ઓગસ્ટ, 2021
  • 30 ઓગસ્ટ, 2021
  • 6 સપ્ટેમ્બર, 2021

શ્રાવણ મહિનાના સોમવારનું શું છે માહાત્મ્ય

શ્રાવણ મહિનાના સોમવારનું ખૂબ જ મહત્વ છે. સોમવાર શિવજીને પ્રિય છે. આ મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ મહિનામાં કરવામાં આવતાં સોમવારના ઉપવાસ જે ભક્ત સાચી શ્રદ્ધાથી કરે છે તેમને વર્ષભરની પૂજાનું ફળ મળે છે. જે લોકો તેમના લગ્ન જીવનમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તેઓએ શ્રાવણ માસમાં ભગવાન શંકરની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન શિવની કૃપાથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. આ મહિનામાં શિવની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને મરણ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે.

સોમવારે કેવી રીતે ઉપવાસ કરવો

સૌ પ્રથમ, શ્રાવણ મહિનાના સોમવારે સવારે ઉઠ્યા પછી, કાળા તલને પાણીમાં ભેળવીને સ્નાન કરો. આ પછી, ભગવાન શિવને શુદ્ધ હૃદયથી યાદ કરો, સોમવારે ઉપવાસનો સંકલ્પ લો. ત્યારબાદ સફેદ ફૂલો, સફેદ ચંદન, પંચામૃત, ચોખા, સોપારી, બેલના પાન વગેરેથી શિવલિંગની પૂજા કરો. પૂજા દરમિયાન “ॐ सों सोमाय नम:” મંત્રનો જાપ કરતા રહો. હંમેશાં રુદ્રાક્ષની માળાથી શિવના મંત્રનો જાપ કરો.

કેવી રીતે કરશો પૂજા

  • વહેલી સવારે ઉઠો અને સ્નાન વગેરેથી નિવૃત્ત થયા પછી સ્વચ્છ કપડાં પહેરો.
  • આ પછી, ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ગંગા જળથી બધા દેવતાઓનો અભિષેક
  • શિવલિંગ પર ગંગા જળ અને દૂધ અર્પણ કરો.
  • ભગવાન શિવને બીલીપત્ર અને ફૂલો અર્પણ કરો.
  • આ પછી ભગવાન શિવની આરતી કરો અને ભોગ પણ ચઢાવો.
  • ધ્યાનમાં રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.
  • આ દિવસે ભગવાન શિવનું વધુને વધુ ધ્યાન કરો.

રાશિ પ્રમાણે પૂજનનું મહત્વ

જ્યોતીષોના કહેવા મુજબ ભોલેનાથના રીઝવવા પૂજા., અભિષેક ફળદાયી માનવામાં વે છે. શિવભક્તો રાશિ મુજબ પૂજન અને શિવલિંગ પર વિવિધ અભિષેક કરીને પૂજા દ્વારા મનોવાંછીત ફળ મેળવી શકે છે.

  • મેષઃ તાંબાના લોટામાં શુદ્ધ જળમાં ગોળ મેળવીને પાણી ચઢાવવું, લાલ ફૂલ ચઢાવવા.
  • વૃષભઃ શિવલિંગ પર દહીં, સફેદ ચંદન, ફૂલ અને ચોખા અર્પણ કરવા,
  • મિથુનઃ શેરડીનો રસ અને બીલીપત્રપથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવી,
  • કર્કઃ સફેદ ચંદનથી ત્રિપુંડ કરવું અને ઘીથી ભગવાનનો અભિષેક કરવો.
  • સિંહઃ ગોળ મિશ્રિત ગંગાજળથી તથા ઘઉં અર્પણ કરીને પૂજા કરવી.
  • કન્યાઃ શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરવો, શિવજીને બીલીપત્ર ચઢાવવા,
  • તુલાઃ અત્તર મિશ્રિત પાણીથી શિવલિંગનો અભિષેક કરવો, સુગંધી ફૂલો અર્પણ કરવા.
  • વૃશ્ચિકઃ શ્રાવણ માસમાં પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો.
  • ધનઃ કેસરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરી પીળા ફૂલ ચઢાવવા,
  • મકરઃ શ્રાવણ માસ દરમિયાન કાળા તલથી ભગવાનનો અભિષેક કરવો.
  • કુંભઃ ગંગાજળમાં કાળા તલ નાંખીને શિવલિંગ પર અભિષેક કરવો,
  • મીનઃ હળદરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરવો.

Shravan 2021: શ્રાવણ મહિનામાં રાશિ મુજબ કરો પૂજા-અભિષેક, મહાદેવ પ્રસન્ન થઈને આપશે મનોવાંછીત ફળ

Shravan 2021: અનોખો સંયોગઃ શ્રાવણની શરૂઆત અને પૂર્ણાહુતિ સોમવારથી, જાણો આ મહિનામાં કયા મોટા તહેવારો આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.